Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

જમ્મુ કાશ્મીરમાં હિંદુઓ પર થતા હુમલાના વિરોધમાં VHP,બજરંગ દળએ કાળાઘોડા ખાતે આતંકવાદીના પૂતળાનું દહન કર્યું,

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કાશ્મીરમાં ફરી એકવાર 1990 ઘટનાને યાદ યાદ તાજી થઇ હોય એમ હિંદુઓની હત્યા અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલા પુનઃ શરૂ થયા છે જેમાં જમ્મુ કાશ્મીરમાં હિન્દુઓ પર વારંવાર થતા હુમલાને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, નર્મદા જિલ્લાના કાર્યકરો દ્વારા વખોડી કાઢી શનિવારે કાલાઘોડા સર્કલ પાસે પાકિસ્તાનના આતંકવાદીઓનોનું પૂતળા દહન કરી હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન વિરોધ કરાયું હતું,
આ પૂતળા દહન કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના કોષાધ્યક્ષ ગૌતમભાઈ પટેલ,જિલ્લા મંત્રી સુજલભાઈ મિસ્ત્રી નર્મદા જિલ્લા શહેર બજરંગ પ્રમુખ પુષ્પરાજ ચૌહાણ, બજરંગ દળના સંયોજક વિકેશભાઈ તડવી તેમજ અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:30 pm IST)