Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

મધ્યપ્રદેશઃ પોતાની સરકારની વિરૂદ્ધમાં ઉતર્યા સિંધીયાઃ કમલનાથ સરકારે દેવામાફીનું વચન પુરૂ ન કર્યુ હોવાનો આરોપ

ભોપાલઃ કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ ખેડૂતોના દેવા માફીને લઈને પોતાની જ સરકારની ઝાટકણી કાઢી છેઃ તેમણે કહ્યુ છે કે ખેડૂતોના બે લાખ સુધીના દેવા માફ થવા જોઈએઃ ભીંડમાં સભાને સંબોધતા તેમણે કહ્યુ હતુ કે ખેડૂતોના દેવા સંપૂર્ણ રીતે માફ નથી થયાઃ ફકત ૫૦ હજાર રૂપિયા સુધીના દેવા માફ થયા છે, જ્યારે અમે વચન આપ્યુ હતુ કે ૨ લાખ સુધીનુ દેવુ માફ થશેઃ વહેલી તકે ૨ લાખ રૂપિયા માફ થવા જોઈએ

(3:51 pm IST)