Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

બુલંદશહરની ઘટના

રસ્તાની કિનારે સુતેલા શ્રધ્ધાળુઓ ઉપર બસ ફરી વળતા સાતના મોત

લખનૌ, તા.૧૧:ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં એક દર્દનાક કિસ્સો જોવા મળ્યો છે. સડક કિનારે સૂતેલા શ્રદ્ઘાળુઓને બસે કચડી નાંખ્યા હતા. આ ઘટનામાં સાત શ્રદ્ઘાળુઓના મોત નીપજયાં હતા.વૈષ્ણોદેવી દર્શન કરીને શ્રદ્ઘાળુઓ ગંગા સ્નાન માટે જઈ રહ્યા હતા.

નરૌરા ગંગાઘાટ પર બનેલા આ દર્દનાક બનાવમાં ૭ શ્રદ્ઘાળુઓના મોત નીપજયા હતા. મરનારામાં ૪ મહિલા અને ૩ માસૂમ બાળકોનો સમાવેશ થયો છે. મળતી માહિતિ અનુસાર તમામ શ્રદ્ઘાળુઓ વૈષ્ણોદેવીથી દર્શન કરીને ગંગા સ્નાન માટે હાથરસથી નરૌરા ઘાટ પર રસ્તાની સાઈડમાંસૂતા હતા. આ સમયે આ કરુણ ઘટના બની. ૭ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા.

આ ઘટના બાદ આરોપી બસ ડ્રાઈવર ઘટનાસ્થળે બસ છોડીને ભાગી ગયો હતો. પોલીસને જાણ થતાં જ સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસને તૈનાત કરવામાં આવી હતી. પોલીસના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા. આખા કેસની સાથે બસ ડ્રાઈવરની પણ શોધખોળ ચાલુ છે.

(11:30 am IST)