Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસને બે તૃતીયાંશ બહુમતી મળશે સચીન પાયલોટ

નવી દિલ્હી, તા., ૧૧: રાજસ્થાન પ્રદેશ પ્રમુખ સચીન પાયલોટે બુધવારે કહયું કે આવનાર વિધાનસભા ચુંટણીમાં અમારો પક્ષ બે તૃતીયાંશ બહુમતી મેળવશે. પાયલોટે જાહેરસભાઓમાં મળી રહેલા સમર્થનની વાત કરતા આવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

બિકાનેરના મેડીકલ કોલેજ ગ્રાઉન્ડમાં કોંગ્રેસની મહાસંકલ્પ રેલીને સંબોધીત કરતા પાયલોટે કહયું કે રાજસ્થાનમાં અમે બે તૃતીયાંશ બહુમતી સાથે સતા પર આવીશું. રાજયમાં પક્ષને સારૂ સમર્થન મળી રહયું છે. તેમણે કહયું હમણા જ ભાજપા પ્રમુખ પણ અહી આવ્યા હતા અને તેની અને અમારી  સંભાની સરખામણી કરવામાં આવે તો અમારા પક્ષને વધારે સમર્થન મળી રહયું છે.

અખિલ ભારતીય કોંગ્રેસ કમીટીના મહાસચિવ અશોક ગહલોતે પણ કહયું કે કોંગ્રેસ પક્ષ સતા પર આવશે. તેમણે કહયું કે ભાજપા સરકારની વિદાય નકકી છે. ભુતપુર્વ મુખ્ય પ્રધાન ગહલોતે આગામી વિધાનસભા ચુંટણીમાં પક્ષના કાર્યકર્તાઓને એક થઇ પક્ષના ઉમેદવારને ટેકો આપવાની અપીલ કરી છે. (૪.૨)

(11:46 am IST)