Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

ઉત્તરપ્રદેશના રૈપુરા ગામના નિવૃત્ત પ્રિન્સીપલ ડો. મહેન્‍દ્રપ્રસાદ સિંહની મહેનત રંગ લાવીઃ દરેક ઘરમાં અેક સરકારી કર્મચારીઃ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્‍ઠ પ્રદર્શન

ઉત્તર પ્રદેશ: ચિત્રકૂટ જિલ્લાના રૈપુરા ગામના ત્રીસ યુવાનો IAS, IPS, PCS અને PPS ઓફિસર બન્યા છે. ગામના દરેક ઘરમાં કોઈને કોઈ સરકારી કર્મચારી કે અધિકારી છે. ગામની ખાસિયત પાછળ એક વ્યક્તિ છે, જે હજુ પણ ગામના બાળકોને માર્ગદર્શન આપી રહ્યા છે. ગામના નિવાસી પૂર્વ પ્રન્સિપાલ ડો. મહેન્દ્ર પ્રસાદ સિંહની પ્રેરણા અને પ્રયાસોથી ગામના યુવાનો આજે મુકાલ હાંસેલ કરી શક્યા છે.

ડો. સિંહ પહેલા રાજકીય ઈન્ટર કોલેજના પ્રિન્સિપાલ હતા. ઈતિહાસના વિષયમાં પોતાના અનુભવથી વિદ્યાર્થીઓ માટે મદદગાર બન્યા અને નિવૃત્ત થયા બાદ એક ટ્રસ્ટ બનાવીને ગામના બાળકોને ભવિષ્ય ઘડવામાં મદદ કરી રહ્યા છે. વર્ષ 1993માં જાલૌનમાં રાજકીય ઈન્ટર કોલેજથી નિવૃત્ત થયા બાદ ગામ પાછા આવ્યા તો યુવાનોનું ભવિષ્ય બનાવવામાં લાગી ગયા. તેમણે યુવાનોને ઈતિહાસના વિષયની ટિપ્સ આપી. બાદ વર્ષ 2008માં ગ્રામોત્થાન ટ્ર્સ્ટની રચના કરી સરકારી નોકરી મેળવવા ઈચ્છતા યુવાનોને તેમાં જોડ્યા.

ગામમાં પ્રત્યેક વર્ષે દશેરાના દિવસે તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનું આયોજન કરે છે. જેમાં તેમનો ટ્રસ્ટ પહેલો, બીજો અને ત્રીજો ક્રમાંક મેળવનારા બાળકોનું સન્માન કરી પ્રોત્સાહન કરે છે. તેમનો ટ્રસ્ટ એન્જિનિયરિંગ, મેડિકલ પ્રવેશની પરીક્ષાની તૈયારી અને પ્રવેશમાં આર્થિક પરેશાનીઓની મદદ ઉપલબ્ધ કરાવે છે. ઓફીસરથી લઈને કર્મચારીની નોકરી કરનારા ગામના પૂર્વ વિદ્યાર્થીઓ દશેરાના દિવસે સમારોહમાં ખાસ ઉપસ્થિત રહે છે.

હવે ડો. મહેન્દ્ર પ્રસાદના ટ્રસ્ટની તરફથી એક પ્રકાશન શરૂ કરાયું છે. જેમાં ગામમાંથી નીકળેલા આઈએએસ-આઈપીએસ, પ્રોફેસરો, ડોક્ટરો તથા એન્જિનિયરોને તેમાં પ્રકાશિત કરવામાં આવે છે. દરવર્ષે આવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની તસવીરો તેમાં છપાય છે. જેના કારણે યુવાનોમાં અભ્યાસ કરીને નવો રેકોર્ડ બનાવવાની ભૂખ જાગે છે.

(5:38 pm IST)