Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

સંજુબાબાના ટ્વિટએ ફેલાવી સનસનાટી : ટ્વિટમાં લખ્યું " હું કામમાંથી થોડો તબીબી સારવાર માટે બ્રેક લવ છું - મારા મિત્રો અને પરિવાર મારી સાથે છે - બિનજરૂરી અટકળો ન ફેલાવવી - ટૂંક સમયમાં હું પાછો આવીશ" : કયા રોગનો તે શિકાર થયો તેના પર જાગી લોકોમાં અનેકવિધ ચર્ચા

મુંબઈ : થોડા દિવસો પહેલા જ સંજય દત્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને શ્વાસ લેવામાં તકલીફ હતી. સંજયનો કોરોના વાયરસ ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો. આ સાથે જ્યારે સંજય દત્ત હોસ્પિટલની બહાર આવ્યો હતો ત્યારે તેના પ્રશંસકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ સંજય દત્તની આજની ટ્વિટથી, કે તે કામ પરથી થોડો વિરામ લેવાનો હોવાની વાત સામે આવતા સનસનાટી મચી ગઈ છે.

11 ઓગસ્ટના રોજ સંજયે ટ્વીટ કર્યું હતું કે તે તબીબી સારવાર માટેના કામથી થોડો વિરામ લઈ રહ્યો છે. તેના મિત્રો અને પરિવાર તેની સાથે છે. તેણે પોતાના શુભેચ્છકોને કહ્યું છે કે ગભરાવા જેવું કંઈ નથી અને બિનજરૂરી અટકળો ન ફેલાવવી. ટૂંક સમયમાં તે પાછા આવશે.

તેમ છતાં સંજય દત્તે કહ્યું હતું કે ચિંતા કરવાની વાત નથી, પરંતુ તે ચિંતિત થઈ ગયો છે. છેવટે, સંજય દત્તને કયો રોગ થયો છે? તેમની સારવાર શા માટે કરવામાં આવે છે? શું તે બે દિવસ હોસ્પિટલમાં દાખલ હતો અને ત્યાં થયેલ તપાસમાં કંઇક સામે આવ્યું છે? 

આવા અનેક પ્રશ્નો લોકોના મનમાં ભટકી રહ્યા છે, જેનો જવાબ આગામી દિવસોમાં આપવામાં આવશે. ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે કે સંજુબાબા આ નાનકડી સમસ્યાને ઝડપથી પૂર્ણ કરે.

(8:23 pm IST)