Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

કોલકતા જતા ભાજપના કાર્યકરો પર હુમલો ;બસમાં તોડફોડ

બસને પશ્ચિમી મિદનાપુરના ચંદ્રકોર ખાતે નિશાન બનાવાઈ :ટીએમસીના કાર્યકરોએ હુમલો કર્યાની આશંકા

કોલકત્તા ખાતે ભાજપ અધ્યક્ષ અમિતભાઈ  શાહની રેલીમાં જઈ રહેલા પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકો પર હુમલાની ઘટના સામે આવી છે.

  મળતી વિગત મુજબ શુક્રવારે રાત્રે કોલકત્તા રેલીમાં ભાગ લેવા માટે જઈ રહેલા ભાજપના ટેકેદારોની એક બસને પશ્ચિમી મિદનાપુરના ચંદ્રકોર ખાતે નિશાન બનાવાવમાં આવી હતી. ટીએમસીના કાર્યકર્તાઓ દ્વારા ભાજપના ટેકાદારોની બસ પર હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે 

 

(1:20 pm IST)