Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

કોરોનાને હરાવ્યું છે ધારાવીએ

WHOએ વિશ્વ સમક્ષ રજુ કરી ધારાવી મોડેલ

નવી દિલ્હી,તા.૧૧ : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ મુંબઇના સૌથી મોટા ઝૂંપડપટ્ટી વિસ્તાર ધારાવીમાં કોરોના વાયરસના બ્રેક માટે વખાણ કર્યા છે. ડબ્લ્યુએચઓએ કહ્યું કે ધારાવીમાં કોરોના વાયરસને કાબૂમાં લેવાના પ્રયત્નોને લીધે આજે આ વિસ્તાર કોરોના મુકત થવાના આરે છે. તેમણે કહ્યું કે આ રાષ્ટ્રીય એકતા અને વૈશ્વિક એકતાની સાથે મળીને જ આ મહામારીને રોકી શકાય છે.

ડબ્લ્યુએચઓનાં ડાયરેકટર જનરલ ટ્રેડોસ એડહાનમ ગેબ્રેયેસેસએ કહ્યું, 'દુનિયાભરમાં એવા ઘણા દાખલા છે કે જેણે બતાવ્યું છે કે ભલે ગમે તેટલો પ્રકોપ હોય છતાંય તેને નિયંત્રણમાં લાવી શકાય છે અને આનાં કેટલાક ઉદાહરણોમાંથી કેટલાંક અંશે ઇટાલી, સ્પેન અને દક્ષિણ કોરિયા છે અને એટલે સુધી કે ધારાવીમાં પણ છે.'યુએનના સ્વાસ્થ્ય પ્રમુખે કહ્યું કે મુંબઇના આ સ્લમ એરિયામાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ, સોશિયલ ડિસ્ટેન્સિંગ અને સંક્રમિત દર્દીઓને તરત સારવારના લીધે અહીંના લોકો કોરોનાની લડાઇમાં જીતની તરફ છે. ડબ્લ્યુએચઓના ડાયરેકટર જનરલે નેતૃત્વ, સમુદાયની ભાગીદારી અને સામૂહિક એકતાની જરૂરિયાત પર ભાર મૂકયો. તેમણે કહ્યું કે, 'એવા દેશોમાંથી જયાં ઝડપી વિકાસ થાય છે, જયાં પ્રતિબંધોમાં ઢીલ અપાય રહી છે અને હવે કેસ વધી રહ્યા છે. આપણે નેતૃત્વ, સમુદાયની ભાગીદારી અને સામૂહિક એકતાની જરૂર છે.'

શુક્રવારે મુંબઈની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં કોવિડ -૧૯ના ૧૨ નવા કેસ સાથે કોરોના વાયરસના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૨,૩૫૯ થઈ ગઈ છે. આ માહિતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના અધિકારીએ આપી હતી. જોકે, સિવિક બોડીએ છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં કોવિડ -૧૯ના મોતના સંબંધિત માહિતી આપવાનું બંધ કરી દીધું છે. અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં ધારાવીમાં ૧૬૬ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને ૧,૯૫૨ દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે. ધારાવી, એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી, ૨.૫ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલ છે, જયાં નાના-નાના મકાનોમાં આશરે ૬.૫ લાખ લોકો રહે છે.

૧ એપ્રિલના રોજ ધારાવીમાં કોરોનાનો પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો તે પહેલાં જ અમને આશંકા હતી કે અહીંની પરિસ્થિતિ વધુ વણસી શકે છે. કારણ કે ૮૦ ટકા લોકો જાહેર શૌચાલયનો ઉપયોગ કરે છે. ૮ થી ૧૦ લાખની વસ્તીવાળા તે વિસ્તારમાં નાના મકાનમાં ૧૦ થી ૧૫ લોકો રહે છે. તેથી બધાને હોમ આઇસોલેશન કરી શકાય છે અને ના તો સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરી શકે છે.

તેથી જ જયારે કેસ વધવાનું શરૂ થયું ત્યારે અમે ચેઝ દ વાયરસ હેઠળ કામ કરવાનું શરૂ કર્યુ. આ અંતર્ગત કોન્ટ્રાકટ ટ્રેસિંગ, ફીવર કેમ્પ, લોકોને આઇસોલેટ કરવાનું અને ટેસ્ટ કરવાનું શરૂ કર્યું. શાળા, કોલેજને કવોરેન્ટાઇન સેન્ટર બનાવવામાં આવ્યા. ત્યાં સારા ડોકટર્સ, નર્સ અને ૩ ટાઇમ સારૂ જમવાનું આપ્યું. રમઝાન દરમિયાન મુસ્લિમ લોકોને ડર હતો પરંતુ કવોરેન્ટાઇન સેન્ટરમાં વધુ સારી સુવિધાઓને જોતા તેઓ જાતે જ સામે આવ્યા.

આથી અમારૂ કામ સરળ થઈ ગયું. સંસ્થાકીય રીતે ૧૧ હજાર લોકોને અલગ રાખવામાં આવ્યા. સાંઈ હોસ્પિટલ, ફેમિલી કેર અને પ્રભાત નર્સિગ હોમ દ્વારા અમને ખૂબ મદદ કરવામાં આવી. આ તમામ પ્રયત્નોનું પરિણામ એ છે કે અહીં માત્ર ૨૩ ટકા સક્રિય કેસ છે. ૭૭ ટકા લોકો સ્વસ્થ થઈને ઘરે ગયા છે.

રાજીવ ગાંધી સ્પોર્ટસ કોમ્પ્લેકસ, ધારાવી મ્યુનિસિપલ સ્કૂલ ટ્રાન્ઝિટ કેમ્પ અને સ્કવેર બેડ હોલ દાદરને બંધ કરાયો છે. કારણ કે અહીં દર્દીઓ રાખવાની જરૂર નહોતી. કુલ ૧૨ કવારેન્ટાઇન સેન્ટર બનાવવામાં આવ્યા હતા, તેમાંથી ૩ બંધ થઇ ગયા.

ધારાવીમાં કોરોના સંક્રમણ પર કાબૂમાં રાખવો મોટો પડકાર હતો. તેથી અમે તમામ હોમવર્ક કર્યા પછી ટીમને તૈયાર કરી. અહીં કુલ ૨૪૫૦ BMC લોકો કાર્યરત હતા. તેમાં સફાઇ કામદારથી લઈને પાણી ખોલવાવાળા સુધી સામેલ હતા. એ જ રીતે ૧૨૫૦ લોકોની મેડિકલ ટીમ કોન્ટ્રાકટ પર હતી. તેમાં ૧૨ થી ૧૩ ડોકટર સામેલ હતા. તમામ લોકો એ દિવસ-રાત કામ કરીને અહીં કોરોનાને હરાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવી.

અમારા માટે સૌથી મોટો પડકાર જાહેર શૌચાલયો હતો, જેની સંખ્યા ૪૫૦થી વધુ છે. શરૂઆતમાં જાહેર શૌચાલયોની દિવસમાં બેથી ત્રણ વખત સફાઇ કરવામાં આવતી હતી. જયારે કેસ ઝડપથી વધ્યા ત્યારે સેનિટાઇઝેશન દિવસમાં ૫ થી ૬ વખત કરતા હતા. શૌચાલયની બહાર હેન્ડવોશ રાખવામાં આવતું હતું. શરૂઆતમાં ચોરી થઇ ગયા. જો કે પછીથી તેની પણ ગોઠવણ કરવામાં આવી હતી. ડેટોલ અને હિન્દુસ્તાન યુનિલિવર કંપનીએ અહીં મોટાપાયે હેન્ડવોશ પૂરા પાડ્યા હતા. લોકોને સાબુ વહેંચવામાં આવ્યા હતા. એનજીઓ અને અન્ય સંસ્થાઓએ ખૂબ મદદ કરી.

(11:00 am IST)