Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

માઠા સમાચાર... ૨૦૨૧ પહેલા કોરોનાની રસી નહિ આવે

કોરોનાની વેકસીન આ વર્ષે તો સંભવ જ નથીઃ સંસદીય સમિતિને અપાઇ માહિતીઃ કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને પણ કહ્યું છે કે રસી હાલમાં ઉપલબ્ધ નહિ થાય

નવી દિલ્હી, તા.૧૧: વૈશ્વિક મહામારી બની ચૂકેલ કોરોના વાયરસની વેકસીનને લઇને રોજેરોજ નવા નવા દાવા કરવામાં આવી રહ્યાં છે. કોરોના વેકસીનને લઇને એક નવી બાબત સામે આવી છે અને એ છે કે આવતા વર્ષ એટલે કે ૨૦૨૧ સુધીમાં કોરોનાની કોઇપણ વેકસીન આવવાની સંભાવના નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંશોધનકારોએ કોરોના મહામારીને નીપટવા માટે જારી પ્રયત્નો વચ્ચે ગઇકાલે વિજ્ઞાજ્ઞ અને ટેકનોલોજીની સંસદની સ્થાયી સમિતિને સરકારી અધિકારીઓમાં આમ જણાવ્યુ હતું.

આ મહિને ()એ એક નિવેદન મોકલ્યુ હતું જેમાં ૧૫ ઓગષ્ટ સુધીમાં વેકસીન વિકસીત થઇ જાય તેવું જણાવાયુ હતું બાદમાં સ્પષ્ટતા થઇ હતી.

ગઇકાલે સંસદમાં યોજાયેલી સાંસદોની પેનલની મીટીંગમાં સરકારી અધિકારીઓએ જણાવ્યુ હતુ કે ભારત એક દવા અને વેકસીનના ટોચના નિર્માતા દુનિયામાં વેકસીન બનાવવાની ચાલી રહેલીી દોડમાં મહત્વની ભૂમિકા ભજવશે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે વિશ્વના ૬૦ ટકા રસી ભારતમાં જ વિકસીન કરાયા છે. તેથી આશા છે કે, ભારત વેકસીન શોધવા કે તે બનાવવામાં અગ્રીમ ભૂમિકા ભજવશે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશના વડપણમાં આ બેઠક યોજાઇ હતી જેમાં રાજયસભાના સભાપતિ વૈકયા નાયડુ પણ હાજર હતાં ૨૫ માર્ચના લોકડાઉન બાદ આ પ્રથમ બેઠક હતી.

કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાદ્યવને સંકેત આપ્યા છે કે ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અને ભારત બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવનાર કોરોનાની વેકસીન ૧૫ ઓગસ્ટ સુધી આવવાની સંભાવના ઓછી છે. વિજયરાદ્યવને શુક્રવારે કહ્યું કે ભારતમાં કોરોના વાયરસની વેકસીન વિકસિત કરનારાઓની આકરી મૂલ્યાંકન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે, જેથી કોઇપણ પ્રકારનો કરાર કરવામાં નહી આવે.

વિજયરાઘવનએ નવી દિલ્હી સ્થિત થિંક ટેન્ક 'વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન'માં એક વેબ સેમિનારને સંબોધિત કરતાં કહ્યું કે કોઇપણ વેકસીન હ્યુમન ટ્રાયલના ફસ્ટર્ઙ્ખ પેજમાં ૨૮ દિવસ લાગે છે અને ત્યારબાદ વધુ બે ફેજના પરીક્ષણ થાય છે.

તેમણે આગળ કહ્યું કે દેશની ઔષધિ નિયામકે ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાને વેકસીનના પરીક્ષણ માટે લીલીઝંડી આપી દીધી છે એટલા માટે ભારત બાયોટેકને વેકસીન અથવા ઝાયડસ કેડિલાના વેકસીનને મૂલ્યાંકન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે જેની સાથે કોઇપણ પ્રકારનો કરાર કરવામાં નહી આવે.

આઇસીએમઆરએ ૧૫ ઓગસ્ટ સુધી સ્વદેશી કોવિડ ૧૯ વેકસીનને રજૂ કરવાનું લક્ષ્ય રાખતાં સિલેકટેડ મેડિકલ સંસ્થાઓ તથા હોસ્પિટલોને પત્ર લખીને ભારત બાયોટેકના સહયોગ સાથે વિકસિત 'કોવેકસીન' રસી માટે કિલનિકલ ટ્રાયલની મંજૂરીમાં તેજી લાવવા માટે કહ્યું હતું.

આઇસીએમઆરના પત્ર પર સવાલ પૂછવામાં આવતાં વિજયરાદ્યવને કહ્યું કે '૧૦ જુલાઇના રોજ કિલનિકલ ટ્રાયલનો ફર્સ્ટ ફેજ શરૂ થઇ ગયો છે તમામ ૧૨ સ્થળો પર એક જ સમયે ટ્રાયલ શરૂ થવાની સંભાવના ઓછી છે.

તેમણે કહ્યું કે 'માની લો કે ટ્રાયલ એક જ સમય પર શરૂ થાય છે તો ફર્સ્ટ ફેજમાં એક ઇંજેકશન લાગશે. પછી સાત દિવસ બાદ વધુ એક ઇંજેકશન લાગશે અને ત્યારે ૧૪ દિવસ બાદ તપાસ કરવામાં આવશે પછી નિર્ણય લેતાં પહેલાં પરિણામ પર ધ્યાન આપવામાં આવશે જેમાં ૨૮ દિવસ લાગી જશે.

વિજયરાઘવને કહ્યું કે પરીક્ષણના ફર્સ્ટ ફેજ બાદ વધુ બે ફેજ હશે એટલા માટે કોઇ વેકસીન માટે સમયસીમા જો આપણે વૈશ્વિક સ્તર પર જોઇએ તો ફર્સ્ટ ફેજ બાદ થર્ડ ફેજના પરીક્ષણ સુધી ઘણા મહિના લાગશે.

વિશેષજ્ઞોએ કોરોનાની વેકસીન વિકસિક કરવાની પ્રક્રિયામાં ઉતાવળ કરવા પ્રતિ આગાહ કર્યા છે અને આ વાત ભાર મુકયો છે કે કોરોનાની વેકસીન વિકસિત કરવામાં ઉતાવળ કરવી વૈશ્વિક રૂપથી સ્વિકાર્ય નિયમોને અનુરૂપ નથી.

(10:03 am IST)