Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ઇન્કમટેક્સના ૧૨ કમિશનરોને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા

વરિષ્ઠ અધિકારીઓને નાણા મંત્રાલયે રૂલ 56 હેઠળ રિટાયર કરી દીધા

નવી દિલ્હી : મોદી સરકારના નાણા મંત્રી નિર્મલા સીતારમને કાર્યભાર સંભાળ્યા બાદ ગણતરીના દિવસોમાં જ મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો છે.

  સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ નાણા મંત્રાલયના સૂત્રોએ જાણકારી આપી છે કે આવકવેરા વિભાગના ચીફ કમિશનર, પ્રિન્સિપલ કમિશનર્સ, અને કમિશનર રેન્કના 12 વરિષ્ઠ અધિકારીઓને નાણા મંત્રાલયે રૂલ 56 હેઠળ જબરદસ્તીથી રિટાયર કરી દીધા છે. 

રૂલ ૫૬ હેઠળ આવકવેરાના બાર કમિશનરોને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. તેમની સામે ગંભીર ફરિયાદો મળ્યા પછી આ પગલું ભરવામાં આવ્યું હતું 

(12:00 am IST)