Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

ભાજપના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામી કર્ણાટક માટે શું કહે છે ?

નવી દિલ્હી તા.૧૧: ભારતીય જનતા પાર્ટીના આખાબોલા સાંસદ ડો. સુબ્રમણ્યમ સ્વામીએ ટવીટ્ કરી લખ્યું છે કે કર્ણાટકમાં ભાજપને ૧૧૫ થી ૧૩૦ બેઠકો સાથે ૨૨૪ સભ્યોની વિધાનસભામાં પૂર્ણ બહુમત મળશેે. દેવીગોડાનો જનતાદળ એસ(જેડીએસ) બીજા સ્થાને અને કોંગ્રેસ ઠેઠ ત્રીજા સ્થાને ફેંકાશે. કાલે મતદાન છે. જોઇએ ૧૫મી એ કોના ભાગ્યમાં રાજગાદી છે.

(12:04 pm IST)