Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

મ્‍યાનમારમાં પ્રદર્શનકારીઓ ઉપર તૂટી પડતા સેનાના જવાનો : અેક જ દિવસમાં અનેક લોકતંત્ર સમર્થન કરનાર વ્‍યકિતઓને હત્‍યાના બનાવો નોંધાયા

મ્યાનમાર: મ્યાનમારમાં સુરક્ષાબળો એ શુક્રવારના રોજ સૈન્ય તખ્તપલટની વિરૂદ્ધ પ્રદર્શન કરનાર કમ સે કમ 82 લોકતંત્ર સમર્થકોને મારી નાંખ્યા. મારી નાંખવામાં આવેલા પ્રદર્શનકારીઓની સંખ્યા પર નજર રાખનાર એક સંગઠન અને સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર આ એક દિવસમાં મારી નાંખવામાં આવેલા લોકોની બીજી સૌથી વધુ સંખ્યા છે. આટલી મોટી સંખ્યામાં મોત બાદ પણ મ્યાનમારમાં સેનાની વિરૂદ્ધ પ્રદર્શન ચાલુ છે.

કહેવાય છે કે બાગો શહેરમાં સુરક્ષાબળોની કાર્યવાહીમાં શુક્રવારના રોજ 82 પ્રદર્શનકારીઓના મોત થયા હતા. આની પહેલાં 14મી માર્ચના રોજ યાંગુનમાં 100થી વધુ લોકોના મોત થયા હતા. યાંગુનથી બાગો અંદાજે 100 કિલોમીટર દૂર છે. જો કે દેશમાં ફેલાયેલ હિંસક માહોના લીધે સ્વતંત્ર રીતે મોતના આ આંકડાઓની પુષ્ટિ થઇ શકી નથી.

આસિસ્ટન્સ એસોસીએશન ફોર પોલિટિકલ પ્રિજનર્સ દ્વારા સંકતિલ શરૂઆતના આંકડા પ્રમાણે મૃતકોની સંખ્યા 82 છે. આ સંગઠન મૃતકો અને ધરપકડ કરાયેલ લોકોની દરરોજની સંખ્યા જાહેર કરે છે. આ આંકડા મોટાપાયે વિશ્વસનીય મનાય છે. કારણ કે મોતના નવા કેસને ત્યાં સુધી સામેલ કરાતા નથી જ્યાં સુધી તેમની પુષ્ટિ થઇ જતી નથી અને તેનું લિસ્ટ વેબસાઇટ પર અપાતું નથી.

સંગઠને શનિવારના રિપોર્ટમાં કહ્યું કે તેમને બાગોમાં મૃતકોની સંખ્યા હજી વધવાની આશંકા છે કારણ કે બીજા મામલાઓનું વેરિફિકેશન કરવાનું બાકી છે. મ્યાંમા નાઉએ પણ 82 લોકોના મોતના સમાચાર આપ્યા છે. તો બીજીબાજુ આખા મ્યાનમારમાં હવે પોલીસના ગોળીબારમાં મૃતક પ્રદર્શનકારીઓની સંખ્યા 700ની નજીક પહોંચી રહી છે.

મ્યાનમારની બગડતી સ્થિતિ આંતરરાષ્ટ્રીય સમુદાયને ચિંતિત કરી રહ્યો છે. ખાસ કરીને 27મી માર્ચના રોજ એક જ દિવસમાં 110 લોકોના મોત બાદ ચિંતા ખૂબ વધી ગઇ છે. યુરોપિયન સંઘે તેને આતંકનો દિવસ ગણાવ્યો છે. લોકતંત્ર સમર્થકો પર તાજેતરમાં થયેલા મોટા અત્યાચાર યાંગૂનના દક્ષિણ ડગન ટાઉનશિપમાં જોવા મળ્યા છે. અહીં નરી આંખો ખોફનાક મંજર જોનારાઓનું કહેવું છ કે છેલ્લાં બે દિવસ દરમ્યાન આ વિસ્તારમાં સેનાએ એક ખાસ મુહિમને અંજામ આપ્યો છે, તેનાથી આખો વિસ્તાર દહેશતમાં આવી ગયો છે.

(2:25 pm IST)