Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

એસપીજીએ જાણકારી આપી છે કે રાહુલ ગાંધીના જીવનને કોઇ ખતરો નથીઃ હોમ મીનીસ્ટ્રી

નવી દિલ્હીઃ રાહુલ ગાંધીના જીવન ઉપર ખતરો હોવાની કોંગીના ૩ દિગ્ગજોએ ગૃહમંત્રીને કરેલ લેખીત રજુઆતના જવાબમાં ગૃહ મંત્રાલયે બપોરે મોડેથી જાહેર કર્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષના જીવનને કોઇ ખતરો નથી. આ માહિતી એસપીજી એ આપી છે. જે લીલા રંગનું લાઇટનું ટપકુ રાહુલના માથા ઉપર જોવા મળ્યું તે કોઇ ફોટોગ્રાફરના મોબાઇલનું હોવાનું ગૃહ મંત્રાલયે જણાવ્યું છે હોમ મીનીસ્ટ્રીએ એમ પણ કહયુ છે કે કોંગ્રેસ તરફથી અમને કોઇ પત્ર મળ્યો નથી.

(4:21 pm IST)