Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ભાજપ સરકાર જ મસૂદ અઝહરને જેલમાંથી છોડી અને કંદાહર મૂકી આવી હતી.

કોંગ્રેસના બે વડાપ્રધાન શહીદ થયા છે, પરંતુ કોંગ્રેસ કોઈ પક્ષ સામે જુકતુ નથી

નવી દિલ્હી :દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકર્તાને સંબોધિત કરતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદી મારી આંખમાં આંખ મેળવી શકતા નથી. કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું કે પીએમ મોદીએ રોજગારી આપવાની વાત કહી હતી પરંતુ મધ રાત્રે નોટબંધી લાગુ કરીને દેશના ધંધા રોજગાર ખતમ કરી નાખ્યા જીએસટીને ગબ્બર સિંહ ટેક્સ ગણાવતા કહ્યું હતું કે ગબ્બરસિંહ ટેક્સે બધુ જ બરબાદ કરી નાંખ્યું છે.


    પુલવામા હુમલા પર રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું હતું રાહુલ ગાંધીએ કહ્યું કે  ભાજપ સરકાર જ મસૂદ અઝહરને જેલમાંથી છોડી અને કંદાહર મૂકી આવી હતી. રાહુલ કહ્યું કે એનએસએ અજીત ડોભાલ જ મસૂદ અઝહરને કંદાહર મૂકવા ગયા હતા. રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું કે  કોંગ્રેસના બે વડાપ્રધાન શહીદ થયા છે, પરંતુ કોંગ્રેસ કોઈ પક્ષ સામે જુકતુ નથી

(8:50 pm IST)