Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

અેલઆઇસી તરફથી આઇડીબીઆઇ બેન્કમાં ભાગીદારી વધી ગયા બાદ હછે બેન્‍કીંગ અને વિમા સેવાઓ અેક જ પ્લેટફોર્મ ઉપર પૂરી પડાશે

નવી દિલ્હી: ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની તરફથી આઇડીબીઆઇ બેંકમાં ભાગીદારી વધી ગયા બાદ હવે બેંક ગ્રાહકોની સુવિધા માટે કેટલાક નવા પગલા ઉડાવી રહ્યાં છે. બેંકની તરફથી શરૂ કરવામાં આવતી નવી સુવિધાનો ફાયદો એલઆઇસી અને આઇડીબીઆઇ બંનેના કરોડો ગ્રાહકોને મળવાની આશા છે. બેંકે જાહેરાત કરી કે નાણાકીય ક્ષેત્રનું એક અલગ પ્રકારના સમૂહ બનાવવામાં આવશે. બેંકની યોજના એક જ પ્લેટફોર્મ પર બેંકિંગ અને વીમા સેવાઓ પુરી પાડવામાં આવશે.

બેંક તરફથી આવશ્યક બદલાવ કરવામાં આવશે

આઇડીબીઆઇ બેંકમાં ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી)ની ભાગીદારી છે. આઇડીબીઆઇના માલિકીનો હક સરકારની જગ્યાએ એલઆઇસીના હાથ જવાથી બેંક ખાનગી ક્ષેત્ર હાથ ધરવામાં આવશે. બેંકની તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આઇડીબીઆઇ બેંક તેમના દરેક ગ્રાહકોને એક જ જગ્યાએ બેંકિંગ અને વીમા સર્વિસ આપવા માટે આવશ્યક જોગવાઈ કરી રહ્યું છે.

આઇડીબીઆઇ બેંક અને એલઆઇસીની શાખાઓ, કાર્યલયો અને કર્મચારીની સામાન્ય વસાહતો દ્વારા એક-બીજાની કારોબારી વિશિષ્ટતાનો લાભ ઉઠાવવા શરૂ કરવામાં આવ્યું છે. બેંકે કહ્યું કે આ વ્યૂહાત્મક અભિયાનથી સારૂ પરિચાલ અને સારૂ ફાઇનાન્સિંગ માર્ગ મોકળો કરશે. તેનાથી સરકાર અને એલઆઇસી સહિત દરેક સંબંધિત પક્ષોની મની મહત્તમ સ્તર પર પહોંચશે. બેંકે કહ્યું કે આ વ્યૂહાત્મક યોજનાઓ આઇડીબીઆઇ અને એલઆઇસી બંનેને કારોબારી વિશિષ્ટતાનો સંપૂર્ણ રીતે લાભ ઉઠાવવામાં સક્ષણ બનાવશે.

નિવેદનમાં કહ્યું કે, આ દિશામાં બેંકના ડિરેક્ટર બોર્ડે બેંક ઇન્શ્યોરન્સના અંતર્ગત એલઆઇસીના કોર્પોરેટ એજન્ટ બનાવવાની મંજૂરી આપી છે. તેના અંતર્ગત એલઆઇસીના ચેરમેનને બેંકના બિન-કાર્યકારી ચેરમેન બનાવ્યા આવ્યા છે. બેંકે કહ્યું કે, બેંકમાં હાજર એમડી રાકેશ શર્માને 3 વર્ષ માટે એમડી તેમજ સીઇઓ બનાવવા પર વિચાર કરી રહ્યાં છે.

(5:04 pm IST)