Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

સરસ ઓડિયન્સ આપવા બદલ દિગ્દર્શકે માન્યો શ્રી નિમિષભાઇ ગણાત્રાનો આભાર

દિગ્દર્શક વિરલ રાચ્છએ 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ'ના શ્રી નિમિષભાઇ ગણાત્રાનો આભાર વ્યકત કરતાં કહ્યું હતું કે આપએ આટલુ સરસ ઓડિયન્સ અમને આપ્યું છે કે એમ થાય કે અમે ખિસ્સામાં લઇ જઇએ....એટલુ સરસ ઓડિયન્સ છે. આટલુ બોલતાં જ સમગ્ર હોલમાં ફરીથી તાડીઓ ગુંજી ઉઠી હતી. શ્રી રાચ્છે પ્રેક્ષકોને અપિલ કરી હતી કે નાટકો જોતા રહેજો, ગુજરાતી ભાષા આજે લોકસંગીત અને નાટકોમાં અને કવિતાઓમાં જીવી રહી છે ત્યારે નવી પેઢીને વધુમાં વધુ નાટકો અને ગુજરાતી સાથે જોડવા અને થિએટર સાથે જોડવા જરૂરી છે. સારા નાટકો જોવા જરૂરી છે. નાટક ગમ્યું હોય તો સૌને કહેજો અને ન ગમ્યું હોય તો અમને કહેજો.

(11:39 am IST)