Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ચોર કોટવાલ કો ડાંટે : ઇમરાનખાને કહ્યું ભારત કોમવાદને વેગ આપીને ISIS ની મદદ કરે છે

પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓએ કોમવાદ ફેલાવવાની ભારતની યોજનાને નિષ્ફળ કરી નાખ્યાનો દાવો કર્યો

નવી દિલ્હી : પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ભારત પર આરોપ લગાવ્યો છે કે ભારત કોમવાદને વેગ આપીને પાકિસ્તાનમાં અરાજકતા પેદા કરવામાં આઈએસઆઈએસની મદદ કરી રહ્યું છે.પાકિસ્તાનની સરકારી રેડિયો સેવા અનુસાર, ઇમરાન ખાને ઇસ્લામાબાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓએ કોમવાદ ફેલાવવાની ભારતની યોજનાને સફળતાપૂર્વક નિષ્ફળ કરી દીધી છે.

 ઈમરાન ખાને કહ્યું કે, તે દૂર્ભાગ્યપૂર્ણ છે કે ઉગ્રવાદીઓ હજારા કાર્યકર્તાઓને ઓછી વસ્તીવાળા વિસ્તારમાં નિશાનો બનાવી રહ્યાં છે. તેમને કહ્યું કે, પાછલી સરકારોએ બલૂચિસ્તાનમાં જેટલું ધ્યાન આપવું જોઈએ તેટલું આપ્યું નથી અને હંમેશા બલૂચ સરકારો સાથે ગઠબંધન બનાવવા પર ભાર આપતા રહ્યાં.હતા

 વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે, તેમની સરકારે બલૂચિસ્તાનની સામાન્ય જનતાના જીવન ધોરણને સુધારવા બલૂચિસ્તાનના સામાજિક-આર્થિક વિકાસ પર ફોકસ કર્યો છે

(9:24 am IST)