Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

શું સાંસદો-ધારાસભ્યો વકિલાત કરી નહિ શકે? બાર કાઉન્સીલે ફટકારી નોટિસ

૫૦૦ જેટલા સાંસદો-ધારાસભ્યો-MLC સભ્યો પાસે ૧ સપ્તાહમાં મંગાયો જવાબ :કપિલ સીબ્બલ, ચિદમ્બરમ, મીનાક્ષી લેખી વગેરેનો સમાવેશ

નવી દિલ્હી તા.૧૧: દેશના ૫૦૦ જેટલા સાંસદ ધારાસભ્યો અને એમએલસી સભ્યોને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ કારણદર્શક નોટીસ ફટકારી છે જેમાં કપિલ સિમ્બલ, પી,ચિદમ્બરમ, મીનાક્ષી લેખી , અભિષેક મનુસિંધવી, કે ટી એસ ુલસી, પરાસરન, પિનાકી મિશ્રા ભુપેન્દ્ર યાદવ સતીશ મિશ્રા, અશ્વિનીકુમાર સહિતનો સમાવેશ તાય છે આ લોકોેએ ચૂંટાયા પછી પણ લોની પ્રેકિટસ ચાલુ રાખી છે.

એડવોકેટ અશ્વિનીકુમાર મિશ્રાએ આ બધા સરકાર પાસેથી પગાર મેળવતા હોવાથી તેમના ઉપર પ્રેકટીસી કરવા સામે પ્રતિબંધ લાદવા માંગણી કરી છે.બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને એડવોકેટ લોની જોગવાઇ મુજબ સરકાર પાસેથી પગાર મેળવતા હોય તેવા લોકો વકીલાત કરી શકે નહી આ જોગવાઇઓ હેઠળ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ૫૦૦ જેટલા લોક પ્રતિનિધિઓ સામે કારણદર્શક નોટિસો કાઢી છે.

લોક પ્રતિનિધિ અને વકીલ બંને રોલને લીધે હિતોના ટકરાવ તરફ શ્રી ઉપાધ્યાયે ધ્યાન દોર્યુ છે.

(4:25 pm IST)