Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ચાર દિવસની મ્યાનમારની યાત્રાએ

મ્યાનમારનાં રાષ્ટ્રપતિ વિન મીન્ટ અને સ્ટેટ કાઉન્સેલર ઓંગ સાનને મળશે.: જૂની રાજધાની યાંગુનની પણ મુલાકાત લેશે.

નવી દિલ્હી :રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી 4 દિવસની મ્યાનમારની યાત્રાએ જવાનાં છે.આ પ્રવાસ દરમ્યાન તેઓ મ્યાનમારનાં રાષ્ટ્રપતિ વિન મીન્ટ અને સ્ટેટ કાઉન્સેલર ઓંગ સાનને મળશે.

એમની મુલાકાત દરમ્યાન રોમનાથ મ્યાનમારની રાજધાની નેપીડોની મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ મ્યાનમારની જૂની રાજધાની યાંગુનની પણ મુલાકાત લેશે.

 છેલ્લાં ત્રણ વર્ષોમાં મ્યાનમાર સાથે રાજકારણ, ઈકોનોમી અને ડિફેન્સનાં ક્ષેત્રમાં ઝડપી વિકાસ થયો છે.રામનાથ કોવિંદની આ મુલાકાત બાદ ભારતનાં મ્યાનમાર સાથેનાં સંબંધો વધુ સારા થશે એવી આશા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી ગયાં વર્ષે સપ્ટેમ્બરમાં મ્યાનમારની મુલાકાતે ગયાં હતા. ત્યારબાદ આ વર્ષે જાન્યુઆરીમાં મ્યાનમાર સ્ટેટ કાઉન્સેલર ઓંગ સાન નવી દિલ્લીની મુલાકાતે આવ્યા હતા.

મ્યાનમાર મુકાલાત દરમ્યાન પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદ ભારતીય આર્મીનાં સદસ્યોને મળશે અને એક કમ્યુનીટી રિસેપ્શનમાં પણ હાજરી આપશે.

(2:41 pm IST)