Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

છત્તીસગઢમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ નહિ આવે : ચોથીવાર ભાજપ બનાવશે સરકાર :રમણસિંહનો આશાવાદ

નવી દિલ્હી :પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીને લઈને આવેલા એકઝિટ પોલની વચ્ચે છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહે કહ્યું કે ચૂંટણીમાં ભાજપ જ જીતશે. ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ નહી આવે.ભાજપ પૂર્ણ બહુમતની સાથે સરકાર બનાવવા જઈ રહી છે. મને વિશ્વાસ છે કે વગર કોઈ સહયોગે ભાજપ છત્તીસગઢમાં ચૌથી વાર સરકાર બનાવશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી 12 નવેમ્બર અને 20 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થયુ હતું. 90 બેઠકો માટે છત્તીસગઢમાં સરકાર બનાવવા માટે 46 બેઠકો જોઈએ છે.આવામાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોણ જીતી રહ્યું છે આ વિશે બધા ઓપિનિયન પોલ્સની અભિપ્રાય અસ્પષ્ટ છે.

(2:03 pm IST)