Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

શશી થરૂરને હત્યાના આરોપી ગણાવતા કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ

થરુરે તિરૂવનંતપુરમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો : માફી માગવાની માગ કરી

નવી દિલ્હી :કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદ વિરૂદ્ધ માનહાનીના કેસમાં તિરૂવનંતપુરમની કોર્ટમાં ફરિયાદ કરી છે. રવિશંકર પ્રસાદ અને શશી થરૂર વચ્ચે ટકરાવ વધ્યો છે. જેથી થરૂરે તિરૂવનંતપુરમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.

 શરૂરે પોતાની ફરિયાદમાં રવિશંકર પ્રસાદ પાસે તેમણે આપેલા નિવેદન અંગે માફી માગવાની માગ કરી છે.

  શશી થરૂરે પીએમ મોદી અંગે વિવાદિત ટીપ્પણી કરી હતી. જે બાદ રવિશંકર પ્રસાદે એક વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને થરૂરને હત્યાના આરોપી ગણાવ્યા હતા.

   આ મામલે રવિશંકર પ્રસાદને મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યુ હતુ કે, તમે આપેલુ નિવેદન વિવાદિત અને દુર્ભાગ્યપૂર્ણ છે. દેશના કાયદા પ્રધાન આ પ્રકારના નિવેદન આપે તો લોકોને ન્યાય અને લોકતંત્રમાં કેવી રીતે વિશ્વાસ રહેશે.

(1:27 pm IST)