Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

મમતા બેનર્જીમાં પીએમ બનવાના તમામ ગુણ:ચૂંટણીમાં મોદીને હરાવવા મહત્વની ભૂમિકા નિભાવશે: યશવન્તસિંહા

નવી દિલ્હી : ભાજપના પૂર્વ નેતા અને કેન્દ્રીય પ્રધાન યશંવતસિંહાએ પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અંગે મહત્વનું નિવેદન આપ્યુ છે. યશવંતસિંહાએ જણાવ્યુ હતુ કે,મમતા બેનર્જીમાં પીએમ બનવાના તમામ ગુણ છે. જેથી 2019ની લોકસભાની ચૂંટણીમાં મમતા બેનર્જી પીએમ  મોદીને હરાવવા મહત્વની ભૂમિકા નિભાવશે.

   સિંહાએ પીએમ મોદીને નિશાને લેતા કહ્યુ કે, પીએમ મોદીએ દેશની વિભિન્ન સંસ્થાનોને નાશ કર્યા છે. જેનો સૌથી મોટો ફટકો કેન્દ્રીય મંત્રી મંડળને પડ્યો છે. સરકારે હમેશા વિવિધ બિલોને નબળા કરવાની કોશિશ કરી છે.

 મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી મંડળની મંજૂરી વગર તમામ નિર્ણય લેવામાં આવી રહ્યા છે. , યશવંતસિંહાએ આ પ્રકારનું નિવેદન એક ટોક શો દરમ્યાન આપ્યુ હતું.

(12:52 pm IST)