Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

પશ્ચિમ બંગાળમાં ભાજપની રેલી નીકળ્યા બાદ ટીએમસીના કાર્યકરોએ ગંગાજળ અને ગૌમૂત્ર છાંટીને સ્થળને પવિત્ર કર્યું

જીલ્લામાં ભગવાન મદન મોહન સિવાય બીજું કોઈ રથ કાઢી જ ન શકે.

પશ્ચિમ બંગાળના કૂચ બિહાર જિલ્લામાં જે સ્થળ પર ભારતીય જનતા પાર્ટીનાં નેતાઓએ રેલી કાઢી હતી, તે જગ્યાને તૃણમૂલ કૉંગ્રેસ પાર્ટીના કાર્યકરોએ ગંગા પાણી અને ગાયનું ગૌમૃત્ર છાંટીને ‘પવિત્ર’ કરી છે.   

    સ્થાનિક ટીએમસીના નેતા પંકજ ઘોષે જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ અહીં આવ્યા હતા અને તેમણે સાંપ્રદાયિક સંદેશ આપ્યો હતો, જેના પછી આ સ્થળને ‘પવિત્ર’ કરવાની જરૂર પડી.

   સ્થાનિક દેવતાના સંદર્ભમાં વાત કરતા ટીએમસીના નેતાએ કહ્યું કે ‘આ જગ્યા ભગવાન મદન મોહનની છે. તેથી હિન્દુ પરંપરા અનુસાર અમે આ જગ્યાને પવિત્ર કરી છે. ‘ કુચ બિહાર ટીએમસી સમર્થકો સાથે સાથે એવો પણ દાવો કર્યો કે આ જીલ્લામાં ભગવાન મદન મોહન સિવાય બીજું કોઈ રથ કાઢી જ ન શકે

(7:21 pm IST)