Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

નવદીક્ષિત મહાસતીજીઓના નામ કરાયા જાહેર : ઉપાસનાબેન પરમ સ્વમિત્રાજી મહાસતીજી તેમજ આરાધનાબેન પરમ આરાધ્યાજી મહાસતીજી બન્યા : શ્રાવકોએ બંન્ને મહાસતીજીઓના નામકરણને હર્ષ હર્ષ જય જય ના નાદથી વધાવ્યા

રાજકોટમાં પૂ. નમ્રમુની મા. સા. ના સાનિધ્યે ભાગવતી જૈન દીક્ષાનો દિવ્ય મહોત્સવ ભવ્યતાથી થયો સંપન્ન : શનિવારે વડી દીક્ષા

રાજકોટ: ૯-૯ દીવસથી ચાલી રહેલ ભાગવતી જૈન દીક્ષા મહોત્સવમાં આજે મુમુક્ષુ ઉપાસનાબેન તથા આરાધનાબેને રાષ્ટ્સંત પૂ.નમ્રમુની મા. સા. ના શ્રીમુખેથી કરેમી ભંતે ના પાઠ ભણી ગોંડલ સંપ્રદાયમાં ૨૩૫ અને ૨૩૬ માં સાધ્વીજી તરીકે સમાવેશ કરાયો હતો.

   દીક્ષા દાનેશ્વરી પૂ.નમ્રમુની મા. સા. દ્વારા નવદીક્ષિત મહાસતીજીઓના નામ જાહેર કરાયા હતા. જેમાં ઉપાસનાબેન માંથી પરમ સ્વમિત્રાજી મહાસતીજી તેમજ આરાધનાબેન માંથી પરમ આરાધ્યાજી મહાસતીજી બન્યા હતા. ઉપસ્થિત શ્રાવકોએ બંન્ને મહાસતીજીઓના નામકરણને હર્ષ હર્ષ જય જય ના નાદથી વધાવ્યા હતા.

  વડી દિક્ષાની જાહેરાત કરતા પૂ.ગુરુદેવે જણાવેલ કે પૂ. આરાધ્યાજીના સ્વાસ્થને ધ્યાનમાં રાખતા વડી દીક્ષા શનિવાર તા.૧૫ ના રોજ સવારે ૮.૩૦ કલાકે ડુંગર દરબાર,૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે રોયલ પાર્ક સંઘના ઉપક્રમે યોજાશે.

(6:02 pm IST)