Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

રામમંદિર માટે ભાજપે આપેલુ વચન પૂર્ણ કરે : ભૈયાજીનો મત

નવી ‌દદિલ્‍હી:  સંસદનું શિયાળુ સત્ર શરૂ શરૂ થતાં પહેલા અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે બિલ રજૂ કરવાની માંગને લઈને વિશ્વ હિન્દુ પરિષદ રવિવારે વિશાળ રેલી આયોજિત કરી રહી છે. તેના માટે દેશભરમાંથી હજારો સંત રામલીલા મેદાનમાં એકત્ર થયા છે.

ધર્મસભામાં આરએસએસના સર કાર્યવાહ ભૈયાજી જોશી પણ સામેલ થયા. તેઓએ પોતાના ભાષણમાં કહ્યું કે, રામ મંદિર નિર્માણથી જ ભવિષ્યનું રામરાજ્ય નક્કી થશે. કોર્ટે પણ દેશની ભાવનાઓ સમજવી જોઈએ. દેશ રામરાજ્ય ઈચ્છે છે, ભાવનાઓનું સન્માન થાય. અમે ભીખ નથી માંગી રહ્યા. લોકોની ભાવનાઓનો સવાલ છે. કોર્ટનું સન્માન કરતાં રાહ જોઈ. કોર્ટની પ્રતિષ્ઠા કાયમ રહેવી જોઈએ. ભૈયાજીએ વધુમાં કહ્યું કે, ભાજપે રામ મંદિર પર પોતે કરેલો સંકલ્પ પૂરો કરે. 1992માં કામ અધૂરું રહી ગયું હતું.

વીએચપીએ આ બાબતે કહ્યું છે કે તેમને વિશ્વાસ છે કે સંસદના આગામી સત્ર દરમિયાન બિલ રજૂ કરવામાં આવશે જેનાથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો રસ્તો સ્પષ્ટ થશે. વીએચપી પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે, રામલીલા મેદાનમાં ધર્મ સંસદને આરએસએસના કાર્યકારી પ્રમુખ સુરેશ ભૈયાજી જોશી સંબોધિત કરશે. આ વિશાળ રેલી થશે જે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે બિલ લાવવા સમર્થન નહીં કરનાર તમામ લોકોનું હૃદય પરિવર્તન કરી દેશે.

(3:24 pm IST)