Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

ઇટાલીમાં ૮૦૦‌ કિલોની ભગવતગીતા અઢી વર્ષ લાગ્‍યા તૈયાર થતા

અઢી વર્ષમાં દોઢ કરોડના ખર્ચે ઇટાલીમાં તૈયાર થઇ 800 કિલોની ભગવત્ ગીતા

અમદાવાદ: ઇસ્કોન દ્વારા દિલ્હીના ઈસ્કોન મંદિરમાં 800 કિલો વજનની ભગવદ્ ગીતાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે. આ ગીતાને તૈયાર કરવામાં દોઢ કરોડના ખર્ચ અને અઢી વર્ષ લાગ્યા હતા. આ ગીતા ઈટાલીના મિલાન શહેરથી દરિયાઈ માર્ગે ભારતમાં લવાશે. ઇટલીમાં 11મી નવેમ્બરે લાખો લોકોની વચ્ચે આ પુસ્તકનું અનાવરણ કરાયું હતું. આ ગીતા તૈયાર કરવામાં 50થી વધુ લોકોની મહેનત કરી છે.

ગીતા જયંતી નિમિત્તે દિલ્હીના ઈસ્કોન મંદિરમાં 20 ડિસેમ્બરના રોજ વિશ્વની સૌથી મોટી 800 કિલોની ભગવદ્ ગીતાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. આ ભગવદ્ ગીતાને તૈયાર કરવામાં અઢી વર્ષથી વધુ સમય લાગ્યો હતો. જેમાં ઈસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીમદ્ એ.સી. ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજીએ ભગવદ્ ગીતાના પ્રચારને 50 વર્ષ પૂર્ણ થતાં આ વિશેષ ગીતા તૈયાર કરાઈ છે.

(12:11 pm IST)