Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

કાશ્‍મીરના ૪ વિસ્‍તારો આતંકીઓ માટે સ્‍વર્ગ સમાન અહીં આતંકીઓને મળે છે બધી સુખ-સુવિધા

અનંતનાગ: કાશ્મીરના આ 4 વિસ્તારો છે આતંકનું એપિસેન્ટર, આંતકીઓને ભાવતુ અહી બધુ જ મળી રહે છે.હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે, માતાપિતાની ભાવુક અપીલ બિલ યુપીના નોયડાની એક યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહેલ જમ્મુ-કાશ્મીરનો વિદ્યાર્થી એહતેશામ બિલાલ ગત રવિવારે ઘરે પરત ફર્યો છે. આતંકીઓના ગેરમાર્ગે દોરાયા બાદ તે આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ કાશ્મીર (આઈએસજેકે)માં સામેલ થયો હતો. શ્રીનગરના ખાનયારનો રહેવાસી 20 વર્ષીય એહતેશામ સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર કાળી પાઘડી અને કાળા રંગનો પઠાણી સૂટ પહેરેલો જોવા મળ્યો હતો. પણ, માતાપિતાને કારણે આ યુવકનું દિલ પીઘળ્યુ હતું, અને તે મુખ્યધારામાં પરત ફર્યો હતો. કાશ્મીરમાં આવા અનેક યુવાનો છે, જે આતંકીઓના ગેરમાર્ગે દોરાઈને મીલીટન્ટ્સ બની જાય છે. તેમાં પણ હિજબુલ મુજાહિદ્દીનનો આતંકી અને કાશ્મીરની વાદીમાં પોસ્ટર બોય તરીકે ફેમસ થયેલા બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ કાશ્મીરમાં મીલીન્ટ્સ બનવાના માર્ગે યુવાનોની સંખ્યા વધી છે.

ડેક્કન હેરાલ્ડના એક રિપોર્ટ મુજબ, બુરહાન વાનીના મોત બાદ કાશ્મીરી યુવાનોમાં મીલીટન્ટ્સ બનવાનું પ્રમાણ વધી ગયું છે. તો બીજી તરફ પુલવામા, અનંતનાગ, કુપવાડા અને શોપિયા જેવા વિસ્તારો પર મીલીટન્ટ્સનો પાયો મજબૂત બની રહ્યો છે. આ વિસ્તારોમાં મીલીટન્ટ્સને હવા મળી રહે છે. આ પાછળ કેટલાક ચોક્કસ કારણો છે. હથિયારોની હેરફેર, ઘૂસણખોરી, આર્મી પર એટેક, સ્લીપર સેલની એક્ટિવિટી, બાતમીઓ પહોંચાડવી, આતંકીઓને આશરો આપવો, આતંકીઓને રૂપિયાથી લઈને રહેવાની વ્યવસ્થા કરવી, તેમને બનાવટી ઓળખપત્ર બનાવી આપવાથી લઈને આતંકીઓને અનુકૂળ આવે તેવી તમામ બાબતો કરવા માટે આ વિસ્તારો એપિ સેન્ટર કહેવાય છે. છેલ્લા કેટલાક સમયમાં આપણે જોયું પણ હશે કે, આ વિસ્તારોમાં આર્મી પર હુમલા પણ વધ્યા છે. નવેમ્બર 2018 સુધી કાશ્મીરમાં 270 મીલીટન્ટ્સ છે, જે આંકડો અધધધ કહેવાય. જૈશ--મોહંમદ (મુખિયા મસૂદ અઝહર), લશ્કર--તૈયબા (મુખિયા સૈયદ સલાહુદ્દીન), હિજબુલ મુજાહિદ્દીન (મુખિયા હાફીસ સઈદ), હરકત-ઉલ-અન્સાર (મુખિયા ઝાકીર ઉર રહેમાન) અને જમ્મુ -કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (મુખિયા યાસીન મલિક) આ બધા આતંકી સંગઠનો કાશ્મીરના મોરચે સક્રિય છે. જે તમામ માટે આ ચાર વિસ્તારો બહુ જ કામના છે.

એક સમય જ્યારે કાશ્મીર પણ ભારતનું અંગ હતું, ત્યારે વર્ષો પહેલા અનંતનાગ એ ભારતે જ આપેલું નામ છે. કાશ્મીરીઓ તેને ઈસ્લામાબાદના નામથી વધુ બોલાવે છે. અહીંની કુલ વસ્તી માંડ 70 હજારની આસપાસ હશે, જેમાં 80 ટકા મુસ્લિમો છે. અહીંનું શિક્ષણ કાશ્મીરની અન્ય જિલ્લાઓ કરતા સારુ છે. પરંતુ અહીંની એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ શિક્ષણ કરતા વધુ જેહાદ માટે પ્રખ્યાત છે. એમ કહો કે, તે જેહાદના પ્રચાર માટેનું એપિસેન્ટર છે. અહીં મુસ્લિમ બાબા દાઉદ ખાખીની દરગાહ આવેલી છે, જે એકસમયે હિન્દુ અને મુસ્લિમ બંનેના આસ્થાનું પ્રતિક હતું. પરંતુ હાલ આ વિસ્તાર મીલિટન્ટ્સના કબજામાં આવી ગયો છે. બૌદ્ધિક ભણેલા-ગણેલા મુસ્લિમ યુવાનોને અહીં જેહાદ તરફ વાળવાનું મુખ્ય કેન્દ્ર આ સ્થળ છે એવું કહી શકાય. તેનું મોટુ ઉદાહરણ આતંકી અફઝલ ગુરુ છે, જે મૂળ તો ડોક્ટર હતો.

(12:02 pm IST)