Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

હવે કર્ણાટકમાં વીરશૈવ લિંગાયતોએ મરાઠાઓની માફક માંગી:કલબુર્ગીમાં કર્યું વિરોધ પ્રદર્શન

આગાઉ કોંગ્રેસે લિંગાયત સમુદાયને અલગ ધાર્મિક લઘુમતીની સ્થિતિ જાહેર કરી હતી

કલબુર્ગી: હવે કર્ણાટકમાં વીરશૈવ લિંગાયત સમાજે અનામતની માંગ ઉઠાવી છે કર્ણાટકના કલબુર્ગીમાં વિરશૈવ લિંગાયત સમાજના લોકોએ જિલ્લા કમિશ્નર ઓફિસની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું  વિરશૈવ લિંગાયત સમાજના લોકો મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માફક  તેમના માટે આરક્ષણની માગ કરી રહ્યાં છે

   અત્રે ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસબા ચૂંટણી પહેલા કોંગ્રેસે લિંગાયત સમુદાયને અલગ ધાર્મિક લઘુમતીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી. તેનો તેમને ચૂંટણીમાં પણ ફાયદો મળ્યો અને વર્તમાનમાં કોંગ્રેસ-JDSની પ્રદેશમાં સરકાર છે.

   લિંગાયતને અલગ ધાર્મિક માન્યતા આપવાના મુદ્દા પર લિંગાયતમાં અંદર વિરોધ શરૂ થાય રહ્યો છે. લિંગાયત સમાજના લોકોને અલગ ધાર્મિક માન્યતાનું સમર્થન કર્યું છે. જ્યારે વીરશૈવ લિંગાયતે તેનો વિરોધ કર્યો છે. વીરશૈવ લિંગાયત પોતાને વધારે હિન્દુ માને છે. એટલા માટે તેઓ મરાઠા આંદોલનની રીત પર આરક્ષણ આપવાની માગ કરી રહ્યાં છે.

  કર્ણાટકમાં લિંગાયતોની આબાદી લગભગ 17 ટકા છે. રાજકિય વિચારણાઓથી અહીંયા સરકાર બનાવવા માટે લિંગાયતની મોટી ભૂમિકા છે. જેવું કહેવામાં આવી રહ્યું છે કે લિંગાયતને અલગ ધાર્મિક માન્યતા આપી તેમને આરક્ષણ આપવામાં આવશે તેનો વીરશૈવ લિંગાયત વિરોધ કરી રહ્યાં છે. જો તેમને વર્તમાનમાં કોઇ કેટેગરીમાં સામેલ કરવામાં આવે છે તો તે કેટેગરીના લોકો એક નવું આંદોલન શરૂ કરી શકે છે.

 મરાઠા આંદોલન મહારાષ્ટ્ર પછાત કમિશને રાજ્ય સરકારને એક અહેવાલ સુપરત કર્યો છે. જાણકારી મુજબ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે મરાઠા સમુદાયની સામાજિક અને આર્થિક સ્થિતિને જોઇને તેમને અન્ય પછાત વર્ગ (ઓબીસી)ને આપવામાં આવતા આરક્ષણમાં છેડછાડ કર્યા વગર, મરાઠા સમુદાયની શિક્ષા અને સરકારી નોકરિઓમાં આરક્ષણની માગને પક્ષમાં સૂચનો આપવામાં આવ્યા છે.

(11:06 am IST)