Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

જમ્મુ કાશ્મીરના પુંછમાં બસ ખીણમાં પડતા 11 લોકોના મોત :19 ઘાયલ

લુરથી પૂછ તરફ જતી બસ મંડી પાસે ઊંડા નાળામાં ખાબકી :કિશ્તવાડની બહાર હસ્તિપૂલમાં દુર્ઘટના

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે પૂંછછથી મંડી તરફ જતી એક બસ ખીણમાં પડતાં  11 લોકોનાં મોત થયા છે જ્યારે19 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે શબોને બસથી બહાર કાઢવા અને ઘાયલોને સારવાર માટે નીજકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. પોલીસ દુર્ઘટનાના કારણોની તપાસ કરી રહી છે.

  મળતી માહિતી મુજબ, બસ લૂરથી પૂંછ જઈ રહી હતી. વચ્ચે મંડીની પાસે બસ એક ઊંડા નાળામાં પડી ગઈ. સ્થાનિક રિપોર્ટ્સ મુજબ, બસનો રજિસ્ટ્રેશન નંબર JK02Q0445 છે.
    અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે કિશ્તવાડમાં એક માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. અહીં એક ટેન્કર ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ ઘટના કિશ્તવાડની બહાર સ્થિત હસ્તી પુલમાં થઈ

(11:06 am IST)