Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

મહાન સંતો અને કરોડો લોકોની પ્રાર્થના અને શ્રદ્ધા ફળીભૂત થઇ છે : પૂજ્ય મહંત સ્વામી

તીર્થધામ અયોધ્યા ખાતે કરોડો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર સમાન ભગવાન શ્રીરામ ની જન્મભૂમિ અંગે દેશની સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદો ઐતિહાસિક અને એક શકવર્તી ઘટના છે. આવનારી અનેક પેઢીઓ માટે આજનો દિવસ યાદગાર બની રહેશે. સુપ્રિમ કોર્ટના એ ચુકાદા ને આવકારતું ખૂબ હર્ષ થાય છે. પૂજ્ય યોગીજી મહારાજ અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે શ્રી રામ જન્મભૂમિ માટે વર્ષો સુધી પ્રાર્થના કરીને ધૂન કરી છે,મહાન સંતો અને કરોડો લોકોની પ્રાર્થના અને શ્રદ્ધા ફળીભૂત થઇ છે ભારતના તમામ પ્રજાજનોએ શાંતિ,સોહાર્દ,અને ભાઈચારાની ભાવના સાથે આ ચુકાદાને આવકાર્યો છે તે ભારતીય પ્રજાનું ખમીર દર્શાવે છે તેમ બાપ્સના વડા પૂજ્ય મહંત સ્વામીએ જણાવ્યું હતું

(5:12 pm IST)