Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

મહારાષ્ટ્રમાં સરકાર રચવા દાવપેચ શરૂ : એનસીપીએ કહ્યું કે શિવસેના વિરુદ્ધમાં મત આપે તો ટેકો આપવા વિચારશું

 

શિવસેનાએ મહારાષ્ટ્રમાં સરકાર રચવા શરૂ થયેલ પ્રક્રિયા ને આવકારી છે અને કહ્યું છે કે તેમણે ગૃહમાં શિવસેના સમર્થન વિના બહુમતી સાબિત કરવી પડશે

  દરમિયાન એનસીપીના નેતાએ કહ્યું છે કે વિધાનસભામાં ભાજપ બહુમતી મેળવવામાં નિષ્ફળ જાય.

અને શિવસેના વિરુદ્ધમાં મતદાન કરશે તો અમે નવી સરકાર રચવામાં શિવસેનાના સમર્થન આપવા વિચાર શું

 શિવસેનાના સંજય રાઉતે કહ્યું છે કે ભાજપે હવે સરકાર રચવા આગળ આવવું જોઇએ અને તાકાત

બતાવવી જોઈએ.

 ૨૮૮ વિધાનસભ્યોના ગૃહમાં ભાજપ પાસે 105 ધારાસભ્યો છે અને બહુમતી માટે 145 ધારાસભ્યો હોવા જરૂરી છે ભાજપ પાસે 40 ધારાસભ્યો ખૂટે છે,શિવસેના પાસે 56,અને એનસીપી પાસે 54 ધારાસભ્યોનું બળ છે .

(12:44 am IST)