Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

નડાબેટ પાકિસ્તાન બોર્ડરે ઝીરો પોઇન્ટ પાસે દર્શનાર્થીઓની કાર પલટી ખાઈ જતા વૃદ્ધનુ મોત : બે મહિલા અને બે બાળકોને ઇજા

નડેશ્વરી માતાના મંદિર દર્શનાર્થે જતાં રાધનપુરના ડેલાણાના પરિવારને અકસ્માત

 સુઈગામ તાલુકાના નડાબેટ ભારત-પાકિસ્તાન બોર્ડર ઝીરો પોઇન્ટ પાસે કારનો અકસ્માત સર્જાયો હતો. નડાબેડ દર્શન કરવા જતાં દર્શાનાર્થી પરિવારની કાર અચાનક પલટી મારી ગઈ હતી. જેની જાણ થતાં બીએસએફના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને 108ને જાણ કરી હતી

  . અકસ્માતમાં ઘાયલ થયેલા પાંચ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુઇગામ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એકની હાલત ગંભીર જણાતાં તેને રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન 62 વર્ષીય પ્રતાપભાઈ આહીરનું મોત નિપજ્યું હતું.

   નડાબેટ સ્થિત નડેશ્વરી માતાના મંદિર દર્શનાર્થે જતાં રાધનપુરના ડેલાણાના પરિવારને અકસ્માત નડ્યો હતો. ભારત-પાકિસ્તાન બોર્ડર સ્થિત ઝીરો પોઇન્ટ પાસે વળાંકમાં ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા કાર પલટી ગઇ હતી. જેમાં રયાંબેન આહીર (ઉં.વ.55), લીલાબેન આહીર (ઉં.વ.28), રૂડા આહીર (ઉં.વ.9) અને રવિ આહીર(ઉં.વ.3)ને ઈજાઓ પહોંચી હતી.

(12:00 am IST)