Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

કરતારપુર કોરિડોર ભારત તથા પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધારવામાં સેતુરૂપ બનશેઃ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ

  પંજાબઃ શીખોના ધર્મગુરૂ નાનકદેવની પપ૦ મી જન્મ જયંતિ નિમિતે આજ ૯ નવેમ્બર-ર૦૧૯ ના રોજ પાકિસ્તાનના કરતારપુર જવા પપ૦ શીખ શ્રધ્ધાળુઓનો પ્રથમ જથ્થો કોરીડોર મારફત રવાના થયો છે. પ્રથમ જથ્થામાં સામેલ ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘએ જણાવ્યું હતું કે આ કોરિડોર ભારત તથા પાકિસ્તાન સંબંધો સુધારવામાં મદદ રૂપ બનશે. પંજાબના ચિફ મિનીસ્ટર અમરીન્દરસિંહે પણ જણાવ્યું હતું કે આ કોરિડોર બંન્ને દેશો વચ્ચે સેતૂરૂપ ભૂમિકા ભજવશે.

(9:03 pm IST)