Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

ઉત્તરપ્રદેશના હજુ અનેક શહેરોના નામ બદલાશે: મુઝફ્ફરનગરનું નામ બદલીને લક્ષ્મીનગર કરાશે

અમે ભારતીય સંસ્કૃતિને બચાવવા માટે કામ કરીરહ્યા છીએ:ભાજપના સંગીત સોમનો દાવો

 

લખનૌ :ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલાહાબાદાનું નામ પ્રયાગરાજ અને ફૈઝાબાદનું નામ અયોધ્યા કરવાની જાહેરાત કરી છે ત્યારે ઉત્તર પ્રદેશમાં ભાજપના ધારાસભ્ય સંગીત સોમે જણાવ્યું છે કે હજુ પણ અનેક શહેરોના નામ બદલવામાં આવશે.

   સંગીત સોમે જણાવ્યું કે મુઝફ્ફરનગરનું નામ બદલીને લક્ષ્મીનગર કરવાની વિચારણા થઇ રહી છે. મુઝફ્ફરનગર નામ નવાબ મુઝફ્ફર અલીએરાખ્યું હતું. આથી છેલ્લા ઘણા સમયથી પ્રજાજનોની માંગણી છે કે મુઝફ્ફરનગરનું નામલક્ષ્મીનગર કરવામાં આવે.

 સંગીત સોમે વધુમાં કહ્યું કે મોગલોએ અહીંની સંસ્કૃતિનષ્ટ કરવાનું કામ કર્યું. પરંતુ અમે ભારતીય સંસ્કૃતિને બચાવવા માટે કામ કરીરહ્યા છીએ

(11:53 am IST)