Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

ભાજપ પ્રમુખ ભારતને કોંગ્રેસ મુક્ત નહીં ,પણ મુસ્લિમ મુક્ત બનાવવા માંગે છે ; અસદુદીન ઔવેસીના પ્રહાર

નવી દિલ્હી :ઓલ ઇન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન ( એઆઈએમઆઈએમ ) નાં પ્રમુખ અસદુદીન ઓવૈસીએ ભાજપ અધ્યક્ષ અમિતભાઈ  શાહ પર આકરા પ્રહાર કર્યા છે  ઓવૈસીએ એવો આક્ષેપ કર્યો છે કે અમિતભાઈ  શાહ ભારતને ઇસ્લામથી મુક્ત કરવા માંગે છે. હૈદરાબાદની એક રેલીમાં દિવાળીના ભાષણમાં ઓવૈસીએ આ વાત કહી હતી

   રેલી સંબોધવા સમયે ઓવૈસીએ કહ્યું કે “અમિતભાઈ  શાહ ભલે એવું કહે છે કે તેને કોંગ્રેસ મુક્ત ભારત જોઈએ પણ અમને ખબર છે કે તમારે કોંગ્રેસ મુક્ત નહીં પણ હિન્દુસ્તાનને મુસ્લિમ મુક્ત બનાવવું છે. પરંતુ હિન્દુસ્તાને સંવિધાનમાં મુસ્લિમને અધિકાર આપ્યો છે “

(12:00 am IST)