Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતના રહેઠાણ સહિત 16 સ્થળોએ આઇટીના દરોડા

30 અધિકારીઓની ટીમ દરોડામાં સામેલ;રાજકીય ગરમાવો

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતના ઘર સહિત 16 સ્થળો પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં છે કૈલાશ ગેહલોતના ઘરે આ દરોડા ઈન્કમ રિટર્ન્સને લઈને પડ્યાં છે. કૈલાશ ગહેલોતના ઘરે દરોડા બાદ દિલ્હીમાં એકવાર ફરીથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

 

 અધિકારીઓએ જણાવ્યું કે દેશની રાજધાની દિલ્હી અને આસપાસના ઓછામાં ઓછા 16 સ્થળો પર લગભગ 30 અધિકારીઓની ટીમ દરોડાની કામગીરી કરી રહી છે. તેમણે જણાવ્યું કે મંત્રી અને અન્ય લોકો સંબંધિત બે વિનિર્માણ ફર્મ્સ વિરુદ્ધ કરચોરીની તપાસ મામલે આ દરોડાની કાર્યવાહી થઈ રહી છે. 

 

(1:18 pm IST)