Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

યૌન શોષણના આરોપો મામલે મંત્રી એમજે અકબરની તપાસ થવી જોઈએઃ મેનકાગાંધી

નવી દિલ્હી :મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ કેન્દ્રીય મંત્રી એમજે અકબર ઉપર લાગેલા યૌન શોષણના આરોપો પર કહ્યુ કે તેમની સામે તપાસ થવી જોઈએ. મેનકા ગાંધીએ કહ્યુ કે એમજે અકબરની તપાસ થવી જોઈએ. ઉંચા હોદ્દા પર બેઠેલા પુરુષો હંમેશા આવુ કરે છે.  

   અત્રે ઉલ્લેખનીય છે કે મેનકા ગાંધી પહેલી ભાજપ નેતા છે જેમણે પૂર્વ પત્રકાર અને વિદેશ રાજ્ય મંત્રી એમજે અકબર અંગે નિવેદન આપ્યુ છે.

(12:45 pm IST)