Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

શિરડી સાંઈ મંદિરમાં અર્પણ કરાતા ફૂલોમાંથી બનાવાય છે અગરબત્તી

રોજના 2500 ચઢાવાતા ફૂલો :11 મહિનામાં 45 લાખ અગરબત્તી વેચી

શિરડીનાં સાંઈ મંદિરમાં ચઢાવવામાં આવતાં ફૂલો હવે કચરામાં ફેંકવામાં નથી આવતાં, તે મંદિરનાં જ કામમાં આવે છે. તેમનાં રંગ-રૂપ બદલાઈ જાય છે. તે ફૂલમાંથી અગરબત્તી બની જાય છે. સાંઈ મંદિરમાં રોજ આશરે અઢી હજાર ફૂલો ચઢાવવામાં આવે છે. આ ફૂલોમાંથી અગરબત્તી બનાવવાનો પ્રોજેક્ટ 11 મહિના પહેલાં શરૂ કરાયો છે. અત્યાર સુધીમાં 45 લાખ અગરબત્તીઓ વેચવામાં આવી ચૂકી છે

(12:00 am IST)