Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

પાકિસ્તાન કબ્જાના કાશ્મીર લોકોને આતંકી બનાવવા ઉધામાઃ રેલીઓ કાઢી વિરોધ પ્રદર્શનો

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન હાલ ભારત પર હુમલા કરવા માટે હવાતિયા મારી રહ્યું છે, જે કોઇ પણ સંજોગોમાં ભારત પર હુમલા કરાવવા માગે છે અને આ માટે તે પીઓકેમાં સ્થિત નાગરિકોનો ઉપયોગ કરવા માગે છે. અને આ માટે પીઓકેના નાગરિકોને બળજબરીથી આતંકી બનાવવાના પ્રયાસો પણ થઇ રહ્યા છે. જેના વિરોધમાં સ્થાનિકો દ્વારા રેલીઓ કાઢવામાં આવી રહી છે.

પાકિસ્તાન દ્વારા પીઓકેના નાગરિકો પર અનેક વખત અત્યાચાર કરવામાં આવ્યા છે. હાલ આર્ટિકલ ૩૭૦ નાબૂદ કરાઇ તેના વિરોધ માટે પાકિસ્તાન પીઓકેના નાગરિકો પર દબાણ કરી રહ્યું છે. હાલમાં મળેલા અહેવાલો અનુસાર પીઓકેના નાગરિકો પાકિસ્તાની સરકાર, સૈન્ય અને પોલીસથી નારાજ છે અને તેના વિરોધમાં લોકો રસ્તા પર પણ ઉતર્યા છે.

એવા પણ અહેવાલો છે કે પાકિસ્તાની સૈન્ય પીઓકેમાં રહેતા નાગરિકોને એલઓસી પર મોકલી રહી છે. આમ કરીને તે ભારતને બદનામ કરવા માગે છે, કેમ કે પાકિસ્તાન સૈન્ય એલઓસી પર ગોળીબાર કરે છે ત્યારે જવાબમાં ભારત દ્વારા પણ ગોળીબાર થાય છે આવી સ્થિતિમાં પાકિસ્તાનના આમ નાગરિકોના મોત કરાવીને પાકિસ્તાન ભારતને બદનામ કરવા માગે છે.

(3:25 pm IST)