Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

યેદિયુરપ્પા પાછલા દરવાજેથી મુખ્યમંત્રીની ગાદીએ બેસી ગયાઃ સિધ્ધારમૈયાની ફટકાબાજી

કર્ણાટકઃ પૂર્વ મુખ્યમંત્રી સિધ્ધારમૈયાએ સીધો આરોપ લગાવ્યો છે કે ભાજપમાં ભળેલા યેદિયુરપ્પા પાછલા દરવાજેથી , જનાદેશ વિના જ સત્તામાં બેસી તેમણે ત્યાં સુધી કહેલ કે યેદીયુરપ્પાને ભાજપ સત્તાના સિંહાસન ઉપર બેસવા દેવા માંગતી ન હતી. તેઓ ઓરમાયા બાળકની જેવા છે. તેમણે કહ્યું કે કર્ણાટકમાં સત્તા ઉપર બેસવા માટે ૧૧૩ ધારાસભ્યોની તેમને જરૂર હતી પરંતુ તેમની પાસે માત્ર ૧૦૫ ધારાસભ્યો જ છે. કોંગ્રેસ કાર્યાલયમાં તેમણે કહેલ કે જનમત મેળવી તેઓ મુખ્યમંત્રી બન્યા હોત તો વાંધો ન હતો આ તો તેઓ પાછલા બારણેથી ઘુસીને મુખ્યમંત્રી બની ગયા છે. તેઓ કેટલો સમય મુખ્યમંત્રી રહેેશે તેની ખબર નથી. નરેન્દ્રભાઇની ઇચ્છા વિરૂધ્ધ મુખ્યમંત્રી બન્યા છે. તેઓએ ફરી કહેતા આ સરકાર તુટી પડશે.

(12:58 pm IST)