Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

સુબ્રમણ્યમ સ્વામીનો દાવોઃ જો મોદી પરવાનગી આપે તો દુનિયાનું સૌથી મોટુ કૌભાંડ બહાર લાવી શકુ તેમ છું

એનએસઈએલ અને ઈન્ડીયા બુલ્સનું વિશ્વનું સૌથી મોટુ કૌભાંડ છેઃ સ્વામી

નવી દિલ્હી, તા. ૧૦ :. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એનએસઈએલ અને ઈન્ડીયા બુલ્સને વિશ્વનો સૌથી મોટો નાણાકીય ગોટાળો જાહેર કર્યો છે. સ્વામીનો આરોપ છે કે આ બન્નેની કંપનીઓમાં ટીટીકે અને પીસી લાભાર્થીના રૂપમાં સામેલ છે. જો વડાપ્રધાન મોદી સેબી, નાણા અને વાણીજ્ય મંત્રાલયની અડચણો દૂર કરી દયો તો આ કૌભાંડને હું સામે લાવી શકુ તેમ છું. એનએસઈએલની સહાયક કંપની જીએસટીએનમાં હતી, ત્યાં સુધી નરેન્દ્ર મોદીએ મારા આગ્રહ પર તેનુ રાષ્ટ્રીયકરણ નહોતુ કર્યુ.

સુબ્રમણ્યમ સ્વામીએ એવા સમયે દાવો કર્યો છે કે, જ્યારે પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ્ આઈએનએકસ મામલામાં તિહાર જેલમાં બંધ છે.

(10:01 am IST)