Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

કોરોનાના કહેર વચ્ચે ચીનમાં વધુ એક Zoonotic Langya નામનો ખતરનાક વાઇરસ મળી આવ્યો : 35 કેસમાં જ મચ્યો હાહાકાર

તાઈવાન આ વાયરસના ચેપને ઓળખવા અને મોનિટર કરવા માટે ન્યુક્લિક એસિડ ટેસ્ટિંગ પદ્ધતિ શરૂ કરશે : રિપોર્ટ્સમાં દાવો કરાયો

નવી દિલ્હી,તા. 9 : કોરોના હજુ પૂરો થયો ન હતો કે ચીનમાં વધુ એક નવો વાયરસ જોવા મળ્યો છે. ચીનના શેનડોંગ અને હેનાન પ્રાંતમાં લાંગ્યા ઝૂનોટિક લેંગ્યા વાયરસથી સંક્રમિત 35 દર્દીઓ મળી આવ્યા છે. એટલું જ નહીં, ઘણા પ્રાણીઓ પણ આ વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. આ વાયરસ માણસોમાંથી માણસોમાં ફેલાઈ શકે છે કે કેમ તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી. તાઈવાન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અનુસાર, ચીનમાં ઝૂનોટિક લેંગ્યા વાયરસ જોવા મળ્યો છે. જેના કારણે લગભગ 35 લોકો પણ સંક્રમિત જોવા મળ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તાઈવાન આ વાયરસના ચેપને ઓળખવા અને મોનિટર કરવા માટે ન્યુક્લિક એસિડ પરીક્ષણ પદ્ધતિ શરૂ કરશે.

આ વાયરસ ચીનના શેનડોંગ અને હેનાન પ્રાંતમાં જોવા મળ્યો છે. તાઈપેઈ ટાઈમ્સ અનુસાર, તે પ્રાણીઓથી માણસોમાં ફેલાઈ શકે છે. તાઇવાનના સીડીસીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ચુઆંગ ઝેન-હસિઆંગે રવિવારે જણાવ્યું હતું કે,સ્ટડીમાં સામે આવ્યુ છે કે,વાયરસ માનવથી માનવમાં સંક્રમિત થતો નથી. સીડીસી એમ નથી કહ્યું કે, વાયરસ વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાતો નથી. તેમણે વાયરસ વિશે વધુ માહિતી ન આવે ત્યાં સુધી સતર્ક રહેવા જણાવ્યું છે.

પાલતુ પ્રાણીઓ પર કરવામાં આવેલા સર્વેની માહિતી આપતાં તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં 2% કેસ બકરામાં અને 5% શ્વાનમાં જોવા મળ્યા છે. 25 જંગલી પ્રાણીઓની પ્રજાતિઓ પર હાથ ધરવામાં આવેલા પરીક્ષણોના પરિણામો સૂચવે છે કે છંછુદર જેવા લાગતા હેનિપા વાયરસના સંક્રમણનું મુખ્ય કારણ હોઈ શકે છે. ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં ગુરુવારે પ્રકાશિત થયેલા અહેવાલ "A zoonotic henipavirus in the febrilepatis in China" માં જણાવવામાં આવ્યું છે કે, ચીનમાં એક નવો હેનીપાવાઈરસ આવ્યો છે. જે માનવોમાં તાવની બીમારીનું મુખ્ય કારણ છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે ચીનના શેનડોંગ અને હેનાન પ્રાંતમાં Langya henipavirus સંક્રમિત 35 દર્દીઓ મળી આવ્યા છે. ચુઆંગે કહ્યું કે ચીનમાં 35 દર્દીઓનો એકબીજા સાથે કોઈ સંપર્ક નથી. તેમજ આ દર્દીઓના પરિવારજનો અને નજીકના સંબંધીઓમાં કોઈ ચેપ લાગ્યો નથી.

35 માંથી 26 દર્દીઓમાં તાવ, થાક, ઉધરસ, ભૂખ ન લાગવી, સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો અને ઉલ્ટી જેવા લક્ષણો જોવા મળ્યા છે. દર્દીઓમાં શ્વેત રક્તકણોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. એટલું જ નહીં, દર્દીઓમાં પ્લેટલેટ્સ ઓછા, લિવર ફેઇલર અને કિડની ફેઇલર જેવા લક્ષણો પણ જોવા મળે છે.

(1:05 am IST)