Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

દેશને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે ભરવા પડશે ૩ પગલા

પહેલું - સરકારે લોકોની આજીવિકાને સુનિશ્ચિત કરવી જોઈએ અને તેમને ડાયરેકટ કેશ ટ્રાન્સફર કરી તેમની ખર્ચ કરવાની શકિત મજબૂત કરવી જોઈએ : બીજું - સરકાર સમર્થિત ક્રેડિટ ગેરન્ટી પ્રોગ્રામના માધ્યમથી વ્યવસાયો માટે પૂરતું ફંડ ઉપલબ્ધ કરાવવું જોઈએ : ત્રીજું - ઇન્સ્ટિટ્યૂશનલ ઓટોનોમી એન્ડ પ્રોસેસના માધ્યમથી ફાઇનાન્સિયલ સેકટરને ઠીક કરવું જોઈએ

નવી દિલ્હી તા. ૧૦ : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ એ કોરોના વાયરસ મહામારી ના કારણે પાટા પરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થા ને ફરી વેગવંતી બનાવવા માટે સૂચનો કર્યા છે. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે, આર્થિક સંકટને રોકવા માટે તાત્કાલિક ત્રણ પગલાં ભરવા જોઈએ. નોંધનીય છે કે, ભારતીય અર્થવ્યવસ્થા મહામારીના શરૂઆત પહેલા જ મંદીમાં સપડાઈ થઈ હતી. ૨૦૧૯-૨૦માં જીડીપી ગ્રોથ (GDP Growth) ૪.૨% રહ્યો, જે લગભગ એક દશકમાં સૌથો ઓછો ગ્રોથ રેટ છે.

બીબીસીમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ, પૂર્વ વડાપ્રધાને કહ્યું કે, સરકારને સંકટ દૂર કરવા અને આવનારા વર્ષોમાં સામાન્ય આર્થિક સ્થિતિનું નિર્માણ કરવા માટે ત્રણ પગલાં ભરવા જોઈએ. પહેલું- સરકારે લોકોની આજીવિકાને સુનિશ્ચિત કરવી જોઈએ અને તેમને ડાયરેકટ કેશ ટ્રાન્સફર કરી તેમની ખર્ચ કરવાની શકિત મજબૂત કરવી જોઈએ. બીજું- સરકાર સમર્થિત ક્રેડિટ ગેરન્ટી પ્રોગ્રામના માધ્યમથી વ્યવસાયો માટે પૂરતું ફંડ ઉપલબ્ધ કરાવવું જોઈએ. ત્રીજું- ઇન્સ્ટિટ્યૂશનલ ઓટોનોમી એન્ડ પ્રોસેસના માધ્યમથી ફાઇનાન્સિયલ સેકટરને ઠીક કરવું જોઈએ.

ભારતીય અર્થવ્યવસ્થા મહામારીની શરૂઆત પહેલા જ મંદીની પકડમાં આવી હતી. ૨૦૧૯-૨૦માં જીડીપી ગ્રોથ ૪.૨્રુ રહ્યો, જે લગભગ એક દશકમાં સૌથો ઓછો ગ્રોથ રેટ છે. દેશ હવે ધીમેધીમે અને લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ પોતાની અર્થવ્યવસ્થાને અનલોક કરી રહ્યો છે, પરંતુ સંક્રમણની સંખ્યા વધવાના કારણે ભવિષ્ય અનિશ્યિત છે. કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબથી ભારત અમેરિકા અને બ્રાઝીલ બાદ દુનિયાનો ત્રીજો પ્રભાવિત દેશ છે.

અર્થશાસ્ત્રીઓએ પણ ૨૦૨૦-૨૧ નાણાકીય વર્ષ માટે ભારતની અર્થવ્યવસ્થાની જીડીપીમાં ઝડપી ઘટાડાની આશંકાની ચેતવણી આપી છે. જે ૧૯૭૦ના દશક બાદ સૌથી ખરાબ ટેકનીકલ મંદી હોઈ શકે છે. ડો. મનમોહન સિંહે કહ્યું કે, હું ડિપ્રેશન જેવા શબ્દોનો ઉપયોગ નથી કરવા માંગતો, પરંતુ એક લાંબી આર્થિક મંદીના અણસાર હતા જ. તેઓએ કહ્યું કે, આ આર્થિક મંદી માનવીય સંકટના કારણે છે. આ આપણા સમાજમાં કેદ ભાવનાઓથી માત્ર આર્થિક સંખ્યા અને પદ્ઘતિઓને દર્શાવવા માટે મહત્વપૂર્ણ છે.

(3:38 pm IST)