Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

દેશમાં કોરોના ધીમો પડ્યો પણ મૃત્યુઆંક ચિંતાજનક : નવા 42.648 કેસ નોંધાયા : વધુ 45.159 દર્દીઓ રિકવર થયા : વધુ 1206 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.07.173 થયો :એક્ટીવ કેસ 4.49.478 થયા : કુલ કેસની સંખ્યા 3.07.94.756 થઇ

સૌથી વધુ કેરળમાં 13.563 કેસ, મહારાષ્ટ્ર્રમાં 8992 કેસ,આંધ્રપ્રદેશમાં 3040 કેસ, તામિલનાડુમાં 3039 કેસ,ઓરિસ્સામાં 2806 કેસ,આસામમાં 2493 કેસ, કર્ણાટકમાં 2290 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે   આજે દેશમાં કોરોનાનાં નવા 42.648 કેસ નોંધાયા છે. જ્યારે 45.159 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 42.648 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 1206 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.07.173 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 42.648 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.07.94.756 થઇ છે  એક્ટિવ સંખ્યા 4.49.478 થઇ છે છેલ્લા 24 કલાકમાં 45.169 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 2,99.25.883 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 13.563 કેસ, મહારાષ્ટ્ર્રમાં 8992 કેસ,આંધ્રપ્રદેશમાં 3040 કેસ, તામિલનાડુમાં 3039 કેસ,ઓરિસ્સામાં 2806 કેસ,આસામમાં 2493 કેસ, કર્ણાટકમાં 2290 કેસ નોંધાયા છે

(1:10 am IST)