Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ર૪ કલાકમાં ૪૭પ મોત : ર૬પ૦૬ નવા કેસ

દેશમાં કુલ કેસ ૭,૯૩,૮૦ર : કુલ મૃત્યુઆંક ર૧૬૦૪

નવી દિલ્હી, તા. ૧૦ : કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી આંકડા અનુસાર છેલ્લા ર૪ કલાકમાં ર૬પ૦૬ નવા કેસ સામે આવ્યા છે અને ૪૭પ લોકોના મોત થયા છે.

આ સાથે દેશમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા ૭,૯૩,૮૦રની થઇ છે. જેમાંથી ર,૭૬,૬૮પ સક્રિય કેસ છે. ૪૯પપ૧૩ લોકો સાજા થયા છે કે તેમને રજા અપાઇ છે.

દેશમાં કોરોનાને કારણ અત્યાર સુધીમાં ર૧૬૦૪ લોકોના મોત થયા છે.

વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ પછી ભારત ત્રીજા ક્રમે છે.

અત્યાર સુધીમાં ૯૪૪૮ લોકોના મોત એકલા મહારાષ્ટ્રમાં થયા છે. ગુજરાતમાં ર૦૦૮ તો દિલ્હીમાં ૩રપ૮ લોકોના મોત થયા છે.

(11:00 am IST)