Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સીઆરપીએફ કેમ્પ પર ગ્રેનેડ હુમલો :આતંકવાદીઓ ગ્રેનેડ ફેંકીને ફરાર :સર્ચ ઓપરેશન શરૂ

 

જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આવેલી સીઆરપીએપ કેમ્પ પર આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો છે. આતંકવાદીઓ હુમલાની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.

  આતંકવાદીએ કરેલા હુમલામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ સેનાએ હુમલાની ઘટના બાદ આતંકવાદીઓની શોધખોળ માટે ત્રાલમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે આજે સવારે કુપવાડામાં સુરક્ષાદળોએ અથડામણમાં એક આતંકવાદીને ઠાર માર્યો હતો. કુપવાડામાં રવિવાર રાતથી સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. આતંકવાદીઓએ સેના પર ફાયરિંગ કરતા સેનાએ આપરેશનને તેજ કર્યુ હતું.

(12:00 am IST)