Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

દેશમાં કોરોનાના 3,29 લાખથી વધુ કેસ નોંધાયા :કુલ મૃત્યુઆંક 2.50 લાખને પાર પહોંચ્યો : 3,55 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા : 3877 લોકોના મોત :એક્ટિવ કેસ ઘટીને 37.10 લાખથી વધુ

કર્ણાટકમાં 39, 305 કેસ, મહારાષ્ટ્રમાં 37,236 કેસ,તામિલનાડુમાં 28,978, કેરળમાં 27,487 કેસ, ઉત્તર પ્રદેશમાં 21,277 કેસ, પશ્ચિમ બંગાળમાં 19,445 કેસ, રાજસ્થાનમાં 16,487 કેસ, આંધ્રપ્રદેશમાં 14,986 કેસ, હરિયાણામાં 12,718 કેસ, દિલહીમાં 12,651 કેસ, છત્તીસગઢમાં 11,867 કેસ, ગુજરાતમાં 11,592 કેસ,બિહારમાં 10,174 કેસ,ઓરિસ્સામાં 10,031 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં 3,29,379 નવા કેસ નોંધાયા છે 

 સાથે છેલ્લા 24 કલાકમાં 3877 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2.50,025 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 3,29,379 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,29,91,927 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 37,10,896એ  પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 3,55,745 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે કુલ  1.90,21,207 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ કર્ણાટકમાં 39, 305 કેસ, મહારાષ્ટ્રમાં 37,236 કેસ,તામિલનાડુમાં 28,978, કેરળમાં 27,487 કેસ, ઉત્તર પ્રદેશમાં 21,277 કેસ, પશ્ચિમ બંગાળમાં 19,445 કેસ, રાજસ્થાનમાં 16,487 કેસ, આંધ્રપ્રદેશમાં 14,986 કેસ, હરિયાણામાં 12,718 કેસ, દિલહીમાં 12,651 કેસ, છત્તીસગઢમાં 11,867 કેસ, ગુજરાતમાં 11,592 કેસ,બિહારમાં 10,174 કેસ,ઓરિસ્સામાં 10,031 નોંધાયા  છે

(1:01 am IST)