Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

દિલ્હીની બાડા હિન્દુ રાવ હોસ્પિટલમાંથી ૨૩ દર્દીઓ ગુમ : સીસોદીયાએ રિપોર્ટ માંગ્યો

નવી દિલ્હી,તા. ૧૦: રાજધાની દિલ્હીની હિન્દુ રાવ હોસ્પિટલમાંથી ૨૩ કોરોના દર્દી ગુમ થયાના મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાએ સ્વાસ્થ્ય વિભાગને રિપોર્ટ રજુ કરવા નિર્દેશ આપ્યા છે.

સીસોદીયાએ એક અખબારમાં છપાયેલ ખબરના અનુસંધાને સ્વાસ્થ્ય વિભાગને આજ સાંજ સુધીમાં રિપોર્ટ આપવા નિર્દેશ આપ્યા છે. તેમણે સ્થાસ્થ્ય વિભાગને જણાવેલ કે આ રિપોર્ટથી જવાબદારી નક્કી થશે અને દોષીત કર્મચારી ઉપર કાર્યવાહી પણ કરાશે.

અખબારમાં છપાયેલ ખબર મુજબ ૧૯ એપ્રિલથી ૬ મે સુધીમાં બાડા હિન્દુ રાવ હોસ્પિટલમાંથી ૨૩ દર્દીઓ ગુમ થયેલ. આ ૨૩ દર્દીઓ ઓથોરીટીને જાણ કર્યા વગર જ ચાલ્યાં ગયાનું દિલ્હી નગર નિગમના અધિકારીઓએ જણાવેલ. હાલ આ દર્દીઓ બીજી કોઇ હોસ્પિટલમાં દાખલ થયા છે કે નહિ. અથવા ઘરે ચાલ્યા ગયા છે તે અંગે અધિકારીઓને કોઇ માહિતી નથી.

(4:15 pm IST)