Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

અમદાવાદથી પદ્દમશ્રી ડો. તેજસ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં

રાજકોટઃ શુકનવંતા દિવસ અક્ષય તૃતિયાના રોજ અકિલા ઈન્ડિયા પબ્લિકેશન્સના આરંભના મંગલારંભ પ્રસંગે વિશ્વ વિખ્યાત હૃદયરોગ નિષ્ણાંત અને પદ્મશ્રીથી સન્માનિત ડો. તેજસ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. હૃદયરોગની સારવારમાં વિશ્વભરમાં જાણીતા ડો. તેજસ પટેલ ભારે વ્યસ્તતા હોવા છતાં 'અકિલા પરિવાર' સાથે પારિવારીક નાતો હોઇ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં અને અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજીતભાઇ ગણાત્રા તથા શ્રી નિમીષભાઇ ગણાત્રાને શુભેચ્છા પાઠવી હતી.

શ્રી પ્રફુલભાઇ નાયક અને હર્ષિલ નાયકની પણ ઉપસ્થિતિ

આ ઉપરાંત અમેરિકાની AIANA સંસ્થાના શ્રી પ્રફુલભાઇ નાયક તથા તેમના પુત્ર હર્ષિલ નાયક પણ અમદાવાદથી ખાસ હાજર રહ્યા હતાં.(૧૪.૮)

 

(1:11 pm IST)