Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

૨૬ મે, ૨૦૧૪થી જ બીજી વખત વડાપ્રધાન બનવા માટે આશ્વસ્ત છું : મોદી

શપથ લીધા હતા ત્યારેજ મને વિશ્વાસ હતો હું બીજા કાર્યકાળ માટે પરત ફરીશ

નવી દિલ્હી તા. ૧૦ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યુ કે તેમને લોકસભાની ચૂંટણીમાં બીજેપીની જીત પર પૂરો વિશ્વાસ છે. પીએમ મોદીએ કહ્યું કે, '૨૬મી મે ૨૦૧૪ના રોજ જયારે મેં વડાપ્રધાન પદના શપથ લીધા હતા ત્યારેજ મને વિશ્વાસ હતો હું બીજા કાર્યકાળ માટે પરત ફરીશ. જયારે મોદીને પૂછવામાં આવ્યું કે શું તેઓ બીજા કાર્યકાળ માટે આશ્વસ્ત છે તો તેમણે કહ્યું કે, 'બિલકુલ. ૨૬મી મે, ૨૦૧૪ના પ્રથમ દિવસથી જ મને આ અંગે વિશ્વાસ હતો.'

૨૦૧૪માં જયારે એક વિદ્યાર્થીએ પૂછ્યું હતું કે વડાપ્રધાન બનવા માટે તેણે શું કરવું જોઈએ ત્યારે પીએમ મોદીએ જવાબ આપ્યો હતો કે, '૨૦૨૪ની ચૂંટણીની તૈયારી શરૂ કરો, ત્યાં સુધી તો હું જ સુરક્ષિત છું.' વડાપ્રધાન મોદીએ એ વાતનો પણ ઇન્કાર કર્યો હતો કે ૨૦૧૯ની ચૂંટણીમાં આવી ધારણા નબળી પડી છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી પોતાની દરેક ચૂંટણી રેલીમાં એવું કહે છે કે જો તમે સ્થાનિક બીજેપી નેતાને વોટ આપશો તો તે મત મને આપ્યા બરાબર ગણાશે. આ વાકય સાથે રેલીનો અંત કરતા વડાપ્રધાન પોતાનો બચાવ કરતા કહ્યુ કે આ લોકસભા ચૂંટણી પ્રદર્શન અને ધારણ પર લડવામાં આવી રહી છે.

પીએમ મોદીએ કહ્યુ, 'પ્રદર્શનનો મારો મતલબ ભારત સરકારીની વિવિધ યોજનાઓથી છે, અને સ્થાનિક સાંસદો નીચે સુધી આ યોજનાઓને કાર્યાન્વિક કરવામાં સામેલ છે. આ ચૂંટણીમાં ફકત એક નામ જ કામ કરી રહ્યું છે તેવી કહેવું બિલકુલ યોગ્ય નથી. નામ પણ ચાલી રહ્યું છે અને કામ પણ.'

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે બીજેપી ૨૦૧૪ની સરખામણીમાં મોટા જનાદેશ સાથે સરકાર બનાવશે. તેમણે કહ્યુ કે આ ચૂંટણીમાં એનડીએના સાથી દળો પણ પહેલા કરતા વધારે બેઠકો જીતશે.(૨૧.૧૧)

(11:56 am IST)